________________
37
- હૃદય નયન નિહાળે જગધણી
2
શ્રી જતનાથ સ્તવને રાગ ઃ આશાવરી ... “મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે...” એ દેશી
પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ; જે તે જીત્યા રે તિણે હું જીતીયો રે, પુરુષ કિસ્સે મુજ નામ. પંથડો૦૧ ચરમ નયણ કરી મારગ જોવતા રે, ભૂલ્યો સયલ સંસાર; જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર. પંથડો૦૨ પુરુષ પરંપરા અનુભવ જોવતાં રે, અંધો અંધ પલાય; વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં ઠાય. પંથડો૦૩ તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહુંચે કોય; અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય. પંથડો૦૪ વસ્તુવિચારે રે દિવ્ય નયન તણો રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પંથડો૦૫ કાળલબ્ધિ લડી પંથ નિહાળશે રે, એ આશા અવલંબ; એ જન જીવે રે જિનજી જાણજો રે, “આનંદઘન” મત અંબ. પંથડો૦૬
ગુણનું પ્રવર્તન સતત-સરળ-સહજ થવું તે જ કેવળજ્ઞાનનું પ્રગટીકરણ.