SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ // હદય નયત નિહાળે ગધણી II જગધણી એટલે કે પરમાત્માને નિહાળવાના છે... એ પરમાત્માને માત્ર ચર્મચક્ષુથી નિરખવાના નથી પણ પહેલા પરખવાના છે અને પરખીને પછી તેને નિહાળવાના છે. નિહાળવાના છે એટલું જ નહિ પણ એ પરમાત્માને નિહાળતાં નિહાળતાં એના જેવા જ પોતાની ભીતરમાં રહેલ સ્વયંના પરમાત્મા સ્વરૂપને નિખારવાનું છે... પ્રગટાવવાનું છે... ચર્મચક્ષુ તો, સાકાર રૂપીને જ જોઈ શકે અને પાડી શકે. આંખો તો, માત્ર પર્યાયને જ જુએ, પરંતુ એ સાકાર પર્યાયની ભીતરમાં રહેલ અરૂપી એવા નિરાકાર ગુણ અને દ્રવ્યને નિહાળવાના છે. પરમાત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય, એ ત્રણેના એક સાથે દર્શન કરવાના છે. પરમાત્મા, દ્રવ્ય-ગુણ-પર્યાયથી જણાય તો પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય પણ જણાય. " “અરિહંત પદ ધ્યાતો થકો દde ગુણ પજજાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત પી થાય રે.” માત્ર પર્યાયનું દર્શન એ એકાન્ત દર્શન છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું દર્શન અનેકાન્ત દર્શન છે અને તે સમ્યગ્દર્શન છે. આવું દર્શન ક્યારે થાય? મળેલાં બે નેત્રો-ચક્ષુરેન્દ્રિયથી તો ન જ થાય ! એને માટે ત્રીજું નેત્ર જોઈએ. એ ત્રીજું નેત્ર હૃદય નયન છે. માટે જ યોગીરાજજીની પંક્તિઓ મમળાવવાની છે કે... પ્રવચન અંજન જો સશુરૂ કરે, દેખે પરમનિધાન; હૃદય નયન નિહાળે જગાણી, મહિમા મેરુ સમાન.” કવિવર્ય યોગીરાજશ્રી આનંદઘન મહારાજાની આનંદઘન સ્તવન ચોવીશી એટલે જ એમના દ્વારા કરાયેલું પ્રવચન અંજન ! આ પ્રવચનથી પ્રાપ્ત ત્રીજું નેત્ર છે, એટલે જ . . . // હદય નયન નિહાળે જગાણી ID MULTY GRAPHICS (022) 2387322223884222
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy