SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શીતલનાથજી 364 વિલક્ષણતા છે; તેને તું વીક્ષણ એટલે જાણ! એ જાણીને તું એનાથી છૂટ! ન લેવાનું રહે અને ન આપવાનું રહે; ન માંગવાનું રહે કે ન ત્યાગવાનું રહે એવી અક્રિય, સ્થિર, નિત્ય, પૂર્ણ સ્વભાવદશાને પામ!!! આટલી આધ્યાત્મિક વિચારણા કર્યા બાદ ગાથા ૧-૨ને ભગવાનના સ્વયંના જીવન કવનથી વિચારીએ કે જે વીરપ્રભુની જીવનકથાથી આપણે સહુ પરિચિત છીએ. ચંદનાદિના વિલેપનની પૂજાનો દુહો છે.... “શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ.” આત્માના અનંત ગુણો જે મોહનીયકર્મના ઉદયના કારણે દોષરૂપ બન્યા છે, તેથી આત્મામાં તાપ-સંતાપને પેદા કરી સંતપ્ત કરે છે અને આત્મપ્રદેશો ઉકળતા ચરુની જેમ ખદબદી રહ્યાં છે. એ માટે જ અરિહંત ભગવંતની, વિલેપનથી અંગપૂજા કરવા દ્વારા, દોષ ટાળીને ગુણ પ્રગટ કરી, સ્વયંના આત્માને સમતાગુણથી શીતળ કરવાનો છે.' - ચંદનાદિથી પ્રભુજીની વિલેપનપૂજા કરતાં કરતાં સ્વયંનો આત્મા શીતળતાને પામે કે પછી શીતળ થઈ રહ્યો છે; એવી ભાવનાથી ભાવિત થવાનું છે... . મોક્ષને પામવા માટે કરુણારૂપ કોમલતા અને કઠોરતારૂપ તીક્ષ્ણતા ઉભય ગુણો ઉપયોગી છે. ક્રોધરૂપી દાવાનળને ઠારવા-શાંત પાડવા કરૂણારૂપી કોમળતા એટલે કે ક્ષમા જોઈએ. તો સાથે સાથે ક્ષમાશીલ થવા માટે સહનશીલ બનવું જોઇશે અને આત્મામાં રહેલા દોષોને - કર્મોને વિદારવા-ચીરવા કઠોર-તીક્ષ્ણ બનવું જોઇશે. જેને નિત્યંતપમાં દઢતા નથી તેનો અવસરોયિત કરાતો નૈમિત્તિક તપ પ્રશસ્ત રહેતો નથી.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy