SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ 363 - હૃદય નયન નિહાળે જગધણી હોય. શુભ-અશુભ, પુણ્ય-પાપ, સાનુકૂળતા-પ્રતિકૂળતા, શાતા-અશાતા, લાભ-હાનિ, જય-પરાજય, માન-અપમાન, સુખ-દુઃખથી પર થઈ એનો જ્ઞાતા-દૃષ્ટા બની જઈ ઉદાસીન એટલે કે નિર્લેપ રહે છે. એટલે એ જીવ નવા કર્મો બાંધતો નથી અર્થાત્ કર્મથી ખરડાતો નથી, જે એની ઉદાસીનતાબેફિકરાઈ- મસ્તી છે. જ્યારે જૂના કર્મો જ એનો પરચો-અસર બતાડે છે તે સમતાપૂર્વક સહનશીલ બની રહી સમભાવે વેઠી લે છે એટલે કે એમાં એ માત્ર દૃષ્ટા-પ્રેક્ષક બની રહે છે. તેથી ભવનાટક આગળ ચાલતું નથી અને નવા ખેલ નહિ ખેલાતા એનો અંત આવે છે. આજ દિવસ સુધીમાં અનાદિથી બીજાનું લઈ લઈને દેવા ઊભા કર્યા છે, દેણ ઊભાં કર્યાં છે. હવે નવું કાંઈ લેવું નથી અને જે જૂના લેણદેણના હિસાબ છે તે હવે ચૂકતે કરી દઈ ઋણમુક્ત થઈ જવું છે. કઠોર બનીને દેણું ચૂકવી દેવું છે અને દયાળુ બની લેણું ભૂલી જવું છેમાફ કરી દેવું છે. જૂના ઋણ ચૂકવતા જઈને નવા ઋણ ઊભાં નહિ કરતાં થકા ઋણમુક્તિની ભાવનાથી લાભ-હાનિ, ઈષ્ટ-અનિષ્ટ, સુખદુઃખ, શાતા-અશાતા, યશ-અપયશમાં સમપરિણામી બની રહી એને કર્મના નાચ લેખી સમભાવી બની રહેવું તે જ “હાનાદાનરહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે...” એ પંક્તિનો ભાવાર્થ છે. અત્રે ત્યાગ અને ગ્રહણથી પર થઈને રહેવાની વાત છે. જે પર છે તે તો પર જ રહેવાનું છે. જે પર પુદ્ગલો તારી માલિકીના હતા નહિ, તે પરને તે ગ્રહણ કર્યા. એ ગ્રહણ કર્યા ત્યારે પણ અને ગ્રહિત થયાં પછી પણ તે પર જ રહ્યાં. એ પર મટી ક્યારેય સ્વ થયા નથી. જે પોતાની માલિકીનું હતું જ નહિ તેને તેં રહ્યું કેમ કહેવાય અને ત્યાખ્યું એમ પણ કેમ કહેવાય? When you are not owner, how can you be doner? 241 still cabadi (અ) શેઠ કિંમત કોની કરશે? ચિંધ્યા પ્રમાણે કરાતા કાર્યની કે પછી શેઠની વફાદારીની? (બ) ભગવાન કિંમત કોની કરશે? કરાતી ક્રિયાની કે પછી ભગવાન પ્રતિના ભગવત્ ભવની?
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy