________________
309
F હૃદય નયન નિહાળે જગધણી
કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાનો નહિ પાર; તે ભવ ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણવાર....
ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ દૂર પલાય;
દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય.... ..૨ દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી ત્રણ નિરધાર; પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખ ભંજનહાર....
જન્મ મરણાદિ સવિ ભય ટળે, સીજે જો વાંછિતકાજ;
રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ..... જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેતુ; જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સંકેત.....
ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ, ચારિત્ર નામ નિયુક્તિએ કહ્યું, વંદો તે ગુણગેહ... ૬
આ સાથે પ્રદક્ષિણા દેતા એવી ભાવનાથી પણ ભાવિત થઈ શકાય કે...
મિથ્યાદર્શન, મિથ્યાષ્ટિ, અસત્યેષ્ટિ, અબ્રહ્મદષ્ટિ, અતત્ત્વદષ્ટિ, તત્ત્વઅશ્રદ્ધાન, વિરૂપદૃષ્ટિ વિરૂપભાવ, વિભાવ, પુલદૃષ્ટિ, પર્યાયદૃષ્ટિ નિવારણાર્થે
મિથ્યાજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન નિવારણાર્થે;
મિથ્યાચારિત્ર, અનાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, વ્યભિચાર, નરક તિર્યંચ ગતિ, દુર્ગતિ, અધોગતિ નિવારણાર્થે પ્રદક્ષિણા દઉં છું !
મારું મિથ્યાત્વ દૂર કરો ! દૂર કરો !..(૧) :
જે શૂટીંગ થઈ ગયું છે તે કર્મના પડદા ઉપર રીલે થઈ રહ્યું છે,
તેનાથી અંદરનો આત્મા તદ્દન ન્યારો છે.