SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી 288 યોગ છે. અપેક્ષિત ફળને માટે તેને અનુરૂપ જરૂરી ક્રિયા થવી-કાર્ય થવું તે ક્રિયા અવંચક યોગ છે. એ ક્રિયા થવાને માટે જે જરૂરી જોગ-સંજોગ મળવા તે યોગાવંચકતા છે. જે કર્મરહિત, સર્વદોષરહિત, સર્વગુણસંપન્ન, વીતરાગ, સર્વદર્શી, સર્વજ્ઞ દેવ છે, તે સજીવન મૂર્તિ પરમાત્માનો પ્રત્યક્ષ યોગ થવો; અથવા તો જે પરમાત્માના ચાહક છે, પરમાત્મસ્વરૂપના વાહક છે, સ્વયં પરમાત્મસ્વરૂપના સાધક છે, એવા નિગ્રંથ, જ્ઞાની, ગીતાર્થ, ગુરુનો પ્રત્યક્ષ યોગ થવો તે, યોગ અવંચક. દેવ-ગુરુનો ભેટો થવો તે યોગાનંચતા છે. એવા દેવ-ગુરુ મળ્યા બાદ, તેની દેવ-ગુરુ તરીકે ઓળખ થવી અને મન-વચન-કાય ત્રિયોગથી સમર્પિત થઈને, એમના બતાવેલા મોક્ષમાર્ગે, એમના માર્ગદર્શન પ્રમાણેની ક્રિયા થવી તે ક્રિયાવંચકતા છે. - હવે જે ક્રિયા કરવામાં આવી છે, તે ક્રિયાનું જે ફળ આવવું જોઈએ, તે પરિણામ આવવું એટલે કે ફળ મળવું, તે ફલાવંચકતા યોગ છે. - ટૂંકમાં કવિરાજ યોગીશ્રીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, જે નિર્મળ તત્ત્વનો, નિર્મળ કરનારો યોગ થયો છે, તે નિર્મળ તત્ત્વની નિર્મળપણે એટલે કે નિરાસંશપણે – નિષ્કપટપણે ભક્તિ સેવા-ઉપાસના કરવી અને એમની નિશ્રામાં-શરણમાં સાધના કરીને, એમના જેવાં જ નિર્મળવીતરાગ થઈ જવું તે યોગાવચકતા, ક્રિયાવંચકતા, ફલાવંચકતા છે. બાકી ગાથા ૩-૪-પમાં જણાવ્યા મુજબ જેને મળ્યું જ નથી તે તો તેમની કમનસીબી છે. એમાં દોષ ભવિતવ્યતાનો છે-કર્મનો છે. પરંતુ મળે પણ ફળે નહિ અને એળે જાય તે તો મૂર્ખતા છે. એમાં તો પુરુષાર્થની ખામી છે. એ દુર્ભાગ્યતા છે. આવી મૂર્ખતા મંતવ્ય નથી હોતી. એ સજાને બહારથી છોડો, ભીતરથી ભૂલો, આત્મામાં ઠરો તો મોક્ષ પામો.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy