________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી
284
અને એમાં તન્મય બની જતાં, અંતરાત્મા સાથે સંધાયેલ એકાત્મકતામાં બાધકતા નહિ પહોચે, તે માટેના સાધકની સાધકતાના-અપ્રમત્તતાના આ હૃદયોદ્ગાર હોય એવું જણાય છે !
ઈમ અનેક થળ જાણીએ, સખી, દરિસણ વિણુ જિનદેવ સખી આગમથી મત આણીએ, સખી, કીજે નિરમળ સેવ. સખી૦૫
પાઠાંતરે “જાણીએ” ને બદલે “જાણીઈ’, ‘વિણ'ના બદલે ‘વિણ', મત’ને બદલે “મતિ', કીજેના બદલે “કીજે, વળી “મતિ'ના બદલે “મન” તથા “આણીએ” ના બદલે “યાણીએ” એવો પાઠફેર મળે છે.
શબ્દાર્થ : ઈમ એટલે કે આ પ્રકારે અનેકાનેક સ્થળે અર્થાત્ ચોરાશી લાખ જીવાયોનિમાં, ચૌદ રાજલોકમાં જિનદેવના દરિસણ વિના મેં રખડપટ્ટી જ કરી છે. ક્યાંય આરોવારો આવ્યો નથી.
હવે તો આગમથી એટલે કે શાસ્ત્ર પરિકર્મિત મત એટલે મતિ બનાવીને એ જિનેશ્વરદેવની સેવાથી મતિને નિર્મળ એટલે કે અવિકારી બનાવવાનું હે સખી સુમતિ! હું વિચારું છું !
લક્ષ્યાર્થ-વિવેચનઃ “સાત લાખ સૂત્રમાં જણાવ્યા મુજબ જીવને ઉત્પત્તિના સ્થાન એટલે કે યોનિ ૮૪ લાખ છે. જીવના ભેદ પ૬૩ છે. સૂક્ષ્મ નિગોદની અવ્યવહાર રાશિમાંથી, કોઈ એક જીવ મોક્ષ પામી સિદ્ધાત્મા થતાં પોતાની ભવિતવ્યતાનો પરિપાક થવાથી એક ભવ્યજીવ કે અભવિનો જીવ સૂક્ષ્મ નિગોદની અવ્યવહારરાશિમાંથી નીકળીને વ્યવહારરાશિમાં આવે છે. જાતિભવ્યનો જીવ કોઈ કાળે સૂક્ષ્મ નિગોદની અવ્યવહારરાશિમાંથી બહાર નીકળી શકનાર નથી. તે જાતિભવ્યની.
આખો સંસાર કર્મણી પ્રયોગથી ચાલે છે. “જે થવાકાળે થવા યોગ્ય' થઈ રહ્યું છે
તેનો કર્તા બનીને અજ્ઞાની કર્તરી પ્રયોગથી મરી રહ્યો છે.