SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ 265 હૃદય નયન નિહાળે જગધણી 5 નિજપદ – પરમાત્મપદ આપનારા ‘ધણી’ છો ! આ રીતે મુક્તિ મેળવીને મુક્ત-સિદ્ધ થયેલ આપ, અમે સિદ્ધશિલાએ પરમપદે આપની હરોળમાં બિરાજમાન નહિ થઈએ ત્યાં સુધી સાથ નિભાવનાર ધર્મસારથિ-ધમ્મ સારહીણ પણ છો અને જગસત્થવાહ એટલે કે ‘જગતના સાર્થવાહ’ પણ છો ! ‘મુક્તિ પરમપદ’ સાથ છો ! આવા પરમોપકારી સુપાર્શ્વનાથ પ્રભુને અમે ભાવભીના હૈયે વંદન કરીએ છીએ !!! સુપાર્શ્વનાથ પ્રભુ એ નામ હોવાથી વ્યક્તિ છે. પણ તેમાં રહેલ આર્હત્ત્વ એ પદ છે. પંચ પરમેષ્ઠી’તે પદ છે. વંદના પદને કરવાની છે, નહિ કે વ્યક્તિને. પદની વંદનામાં વ્યક્તિની વંદના સમાવિષ્ટ છે. વ્યક્તિને પણ વંદના ત્યારે જ થાય છે, કે જ્યારે તે પદારુઢ છે. પદ તે કહેવાય કે જેમાં પદાર્થ હોય અને પદાર્થ તે કહેવાય કે જેની પાછળ પરમાર્થ હોય. આમ પદ એ તદંતર્ગત રહેલ પદાર્થ દ્વારા આગળ ઉપર પરમાર્થને પ્રાપ્ત કરાવવા વડે પરમાત્માની પ્રતીતિ કરાવે છે. માટે જ લોકોત્તર એવા જૈનશાસનમાં પદનું મૂલ્ય અદકેરું છે. પદ એ મહાન છે. પદ એ શાશ્વત છે જ્યારે વ્યક્તિ અશાશ્વત છે. માટે જ પ્રભુ પ્રતિમાપૂજનની પૂર્વમાં અને પછી પણ સિદ્ધચક્ર ભગવંતની પૂજા થઈ શકે છે. પ્રભુ પ્રતિમા એ લાંછનયુક્ત વ્યક્તિવિશેષનો સ્થાપના નિક્ષેપો છે જ્યારે સિદ્ધચક્રયંત્ર એ પદનો અને પદારૂઢ વ્યક્તિસામાન્યનો સ્થાપના નિક્ષેપો છે. સિદ્ધચક્રયંત્ર એ તો યંત્રાધિરાજ છે કેમકે એ મોક્ષમાર્ગનો નકશો છે. ક્રિયા ઘર્મની પણ રૂચિ સંસારની છે તો મોક્ષ નથી કારણકે રાગાદિ પરિણમન છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy