SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ 243 હૃદય નયન નિહાળે જગધણી 卐 પ્રશાંત-ઉપશાંત તથા નીરિહી, નિર્વિકલ્પ તો છે જ પરંતુ એના આલંબનથી તેના જેવા શાંત નીરિહી નિર્વિકલ્પ બની શકાય છે માટે પણ તે શં=શમ= શાંત+કર=કરનાર હોવાથી ‘શંકર’ છે. બ્રહ્માંડ આખાને એટલે કે લોકાલોકને પોતાના કેવળજ્ઞાનમાં સમાવનારા અને તેથી જ સર્વ ક્ષેત્રના, સર્વ કાળના, સર્વ દ્રવ્યને એના સર્વ ભાવ એટલે ગુણપર્યાય સહિત એક જ સમયમાં જાણનારા છે. તેથી આવી જ્ઞાનશક્તિની જ્ઞાતસત્તાથી તે જગતના સત્તાધીશ-ઈશ્વર એવા જગદીશ્વનું છે. એ જાણનારા છે અને છતાં ય-જાણતા હોવા છતાં નિર્લેપ રહેનારા છે, તેથી તે તેમની જ્ઞાતસત્તાની સાથેની વીતરાગસત્તા છે.' એ વીતરાગ હોવાથી જ જગતના સાચા સ્વરૂપને જેવું જુએ છે અને જેવું જાણે છે; તેવું જ અણીશુદ્ધ જણાવે છે. વીતરાગતા છે તેથી જ, એ સર્વજ્ઞની સર્વજ્ઞતા સર્વશ્રેષ્ઠ શ્રદ્ધેય-વિશ્વસનીય છે. તેથી જ ‘જગદીશ્વરુ’ છે. ચિદ એટલે કે જ્ઞાનની શક્તિથી પરક્ષેત્રે આપ સર્વજ્ઞ છો પણ ચિત્ એટલે જ્ઞાનના રસના આનંદને સ્વ ક્ષેત્રે આપ વેદનારા હોવાથી-જ્ઞાનરસ વેદક હોવાથી આપ ચિદાનંદ છો ! જે જ્ઞાનથી જાણીને શેયમાં ડૂબી જાય છે તે જ્ઞેયાનંદી બને છે. શેય બદલાતું રહે છે – ફરતું રહે છે તેથી એ જ્ઞેયાનંદમાં અસ્થાયીતા છે અને તરતમતા-અપૂર્ણતા-અશુદ્ધતા છે. જ્યારે જે જ્ઞાનશક્તિથી શેયને જાણે છે પણ સ્વયં શેયમાં ડૂબતો નથી અને નિરીહ-વીતરાગ રહે છે, તેના જ્ઞાનમાં જ્ઞેય ડૂબે છે, તેથી શેયને જાણવા જવું નથી પડતું પણ જ્ઞેય જણાઈ જાય છે એટલે કે જ્ઞેય જ્ઞાનમાં ડૂબે છે અને એ જ્ઞાન આનંદમાં ડૂબેલું રહે છે, જે અનુભવ દૃશ્યને અદૃશ્ય કરે છે અને અદૃશ્યને પ્રતીતિમાં લાવે છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy