SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ 237 - હૃદય નયન નિહાળે જગધણી જાગે પછી જ પ્રભુનું શરણું સાચા ભાવે લેવાય છે અને તે પછી જ અંતરમાં સમાધિ જાગે છે. તે પહેલા નહિ. સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ લલના; સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ, લલના. શ્રી સુપાસ૮૨ પાઠાંતરે “સાત’ની જગાએ “શ્રી સાત', “સાવધાન'ની જગાએ સાવસાધાન', જિનપદ'ની જગાએ “જિનવર’, ‘પદ સેવ’ની જગાએ પ્રદેવ' છે. શબ્દાર્થ હે લલના ! હે સુમતિ ! સાત મહાભયને ટાળનારા જિનોમાં વર- ઉત્તમ જિનેશ્વર સાતમા સુપાર્શ્વનાથના ચરણકમલ-જિનપદની સેવના, આરાધના સાવધાન મનસાથી એટલે કે અપ્રમત્ત થઈને ધારો એટલે કે કરો ! લક્ષ્યાર્થ-વિવેચનઃ આ સંસારમાં કર્મની ઉપાધિના કારણે જીવ સાત મહા ભયોથી સંતપ્ત છે, ભયભીત છે. જીવ-માત્રને ૧) આહાર ૨) ભય ૩) મૈથુન અને ૪) પરિગ્રહ એ ચાર સંજ્ઞા છે. જીવ-માત્ર ભય સંજ્ઞાથી ભયભીત છે. ભયભીત રાખનારા સાત મોટા ભયો છે. ૧) ઈહલોક ભય અથવા આલોકભયઃ વર્તમાનમાં પ્રાપ્ત સંયોગોમાં અહીં આલોકમાં અરસપરસનો એકબીજાને જે ભય છે તે ઈહલોક ભય છે. એ આ લોકની ચિંતા છે. ૨) પરલોક ભય ઃ પરલોકમાં એટલે કે આગામી ભવમાં હું શું થઈશ અને મને કેવો ભવ મળશે? તેની ચિંતા અને પરલોકમાં રહેલ વાણ વ્યંતર, ભૂત પિશાચ આદિનો ભય એ પરલોકભય છે. મનુષ્યભવમાં આવીને આત્માએ સાયી સ્વતંત્રતા મેળવવા જબ્બર પુરુષાર્થ કરવાનો છે. કર્મની જંજીરો તોડ્યા વિના મુક્તિ નહિ મળે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy