SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ 205 - હૃદય નયન નિહાળે જગધણી અસમાધિથી બચી શકાય છે. આ જ તો આર્તધ્યાનથી બચાવનારું વિપાકવિચય નામનું ધર્મધ્યાન છે. | (ગ) “જે બનવા યોગ્ય છે તે જ બને છે.” “જે બનનાર છે તે ફરનાર નથી.” આ પ્રકારની વિચારણાથી ભાવિ ચિંતા ટળી જાય છે અને ભવિષ્યની કલ્પનાઓ કરી વર્તમાનની અશાંતિ વહોરી લેવામાંથી બચી જવાય છે. (ઘ) આ રીતે ત્રણે કાળના બધાં પ્રશ્નોનું સમાધાન મેળવ્યા પછી પણ જીવને એક વિવેક રાખવો જરૂરી છે કે દોષથી દુઃખની અને ગુણથી સુખની પ્રાપ્તિ છે માટે જીવનમાં ગુણો ખીલવવા જરૂરી છે જેથી જીવનબાગ ગુણપુષ્પોથી મઘમઘાયમાન થાય. જીવનમાં નમ્રતા લાવવાથી અહંકારનો પાયો તૂટે છે. જીવનમાં સ્વાવલંબનતા-સ્વાધીનતા લાવવાથી પરાવલંબનતા ટળતાં અપેક્ષાનો પાયો તૂટે છે. જીવનમાં સહકારી વૃત્તિ કેળવવાથી પરીપકાર તથા પુણ્યની પરબ મંડાય છે. આવા ગુણોથી જીવને સાત્ત્વિક આનંદ મળે છે. તેથી જ તો જ્ઞાની ફરમાવે છે કે “પુણ્યનો ઉપયોગ કરાય અને ગુણનો ઉપભોગ કરાય.” આવી તાત્ત્વિક ચિંતવનાથી જીવનારનું જીવન સમાધિમય હોય છે અને મરણ, સમાધિમરણ હોય છે. એ ચિંતવન ભૂતકાળની ભૂતાવળોથી બચાવે છે, વર્તમાન સુધારે છે અને ભાવિ ઉજ્જવળ બનાવે છે. ૩) બીજાના કટાક્ષભર્યા પ્રતિકૂળ કટુ વચનને સહન કરવા માટે સ્વરૂપબોઘ નય સાપેક્ષ છે પણ સ્વરૂપપ્રાપ્તિ નય નિરપેક્ષ છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy