________________
199 હૃદય નયન નિહાળે જગધણી 卐
વિકસિત, કમલ જેવા નિર્લેપ અને સુગંધથી મઘમઘાયમાન એવા પદ્મપ્રભ જિનેશ્વર દેવ આપ અરિહન્ત છો - શત્રુને હણનારા છો અને હું હજુ અરિહત છું – શત્રુથી હણાયેલો છું. આપ જિન છો અને હું જન છું. આપ અકર્મક, અક્રિય, નિર્મલ છો – અમલ છો અને હું સકર્મક, સક્રિય, સમલ છું. આપ ચૌદ રાજલોકના અગ્રભાગે-લોકાગ્ર શિખરે સ્થિર છો અને હું હજુ સુધી મર્ત્યલોકમાં જન્મ-મરણના ઝોલા ખાતો અસ્થિર છું. આપ અજિત છો અને હું પરાજીત છું. આપ અને હું દ્રવ્યથી પૂર્ણ છીએ પરંતુ પર્યાયથી આપ પરિપૂર્ણ, પરમ છો હું તો હજુ સુધી પર્યાયથી-અવસ્થાથી પામર છું !!
હું તો વિષયારસનો આશી, તેં તો વિષયા કીધી નિરાશી; હું તો કર્મને ભારે ભરિયો, તેં તો પ્રભુ ભાર ઉતાર્યો. સુણો શાંતિજિણંદ સોભાગી. - ઉપા. ઉદયરત્ન
સાત રાજ અલગા જઇ બેઠા, પણ ભગતે અમ મનમાંહી પેઠા; અળગાને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. સાહિબા વાસુપૂજ્ય૦
ઉપા. યશોવિજયજી
દ્રવ્યથી આપ અને હું સરખા પરમાત્મસ્વરૂપ હોવા છતાં હે પ્રભો! તારે મારે કેટલું છેટું પડી ગયું છે! ક્ષેત્રથી તું મારાથી સાત રાજલોક છેટોદૂર છે. કાળથી તું કાલાતીત અકાલ છે તો હું કાલગ્રસ્ત છું. કાળ મારો કેડો મૂકતો નથી. તારે મારે ભાવથી પણ કેટલું અંતર? તું સ્વભાવમાં અને હું પરભાવમાં-વિભાવમાં. આમ દ્રવ્યથી એક હોવા છતા આપણે બે, ક્ષેત્ર, કાળ અને ભાવથી એકબીજાથી જોજનો દૂર છીએ. તું ચૌદ રાજલોકને પેલે પાર લોકાગ્ર શિખરે છે તો હું અપાર ભવસમુદ્રમાં ખૂંપેલો છું. હું જીવ છું
વેદના જે શીખવી શકે તે વેદો નહિ શીખવી શકે.”