SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુમતિનાથજી , 196. અનંતજ્ઞાન, અનંતવીર્ય અને અનંત આનંદ-અનંતસુખરૂપ અનંત ચતુષ્કનો અનંત આત્મવૈભવ છે. એ શાશ્વતકાલ ટકનાર, દોષરહિત શુદ્ધ સંપૂર્ણ, સ્વાધીન, સર્વોચ્ચ આત્મધન-આત્મસુખ- આત્મસંપત્તિ છે. પાછી એ અવ્યય, અવ્યાબાધ, અયુત અને અપ્રતિહત છે. જે નક્કર સુખકંદનોઆનંદઘનનો રસ પીવો હતો તે રસપાનનો તોષ-પોષ આ મતિજ્ઞાનના કેવળજ્ઞાન રૂપમાં એટલે કે આત્માના પરમાત્મસ્વરૂપમાં પરિણમનથી છે. એ દર્પણ જેવો અવિકારી “ચિદાદર્શ બની જાય છે. - આત્માનું પરમાત્મરૂપે પરિણમવું એ જ “સુમતિ ચરણકજ આતમ અરપણા” છે. કુમતિનું અવિકારી મતિરૂપ “સુમતિ'માં પરિણમન એ જ સુમતિજિન ભજના છે. કવિરાજ ઉપાસના અને સાધનાના તાણાવાણાથી મનોહર આત્મભાવ ઉપસાવે છે, જે કલા એ યોગ ચમત્કાર છે. - આ યોગચમત્કૃતિરૂપ સુમતિજિન સ્તવનના આલંબને આપણે પણ કુમતિને સુમતિમાં પરિણમવી આપણા મતિજ્ઞાનને કેવળજ્ઞાનરૂપે પરિણાવી આતમરૂપણતા-પરમાત્મત્વને પ્રગટાવીએ; એવી અભ્યર્થના!!! ત્રણેય યોગની સ્થિરતા યાત્રિની શ્રેષ્ઠતા છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy