SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુમતિનાથજી , 190 આ રીતે આત્માને પરમાત્મા બનવાનો માર્ગ જ્ઞાનીઓએ પ્રકાશ્યો છે. તેને હે ભવ્યો ! તમે સામાયિક સાધના દ્વારા નિરંતર તમારામાં સાધો ! સાચા સાધકને વિષમભાવ એક ક્ષણ પણ પાલવતો નથી. સમતા એ તો આત્માનું નિરુપાધિક ધન છે. એને જે નિરંતર પ્રાણથી પણ અધિક સાચવે છે, તે જ ખરા અર્થમાં આત્મા કહેવડાવવાને લાયક છે. બહિરામ તજી અંતર આતમ-રૂપ થઈ થિર ભાવ, સુન્નાની, પરમાતમનું હો આતમ ભાવવું આતમ અરપણ દાવ, સુજ્ઞાની. સુમતિ(પ પાઠાંતરે આતમને સ્થાને આતમા છે. શબ્દાર્થ ? આત્માના જે ત્રણ પ્રકાર જણાવ્યા તેમાંના બહિરાત્મભાવને તજી-ત્યાગી દઈને, બીજા પ્રકાર અંતરાત્મભાવમાં સ્થિર (થિર) થઈને, પોતાના આત્માની પરમાત્મ અવસ્થાને ભાવવી, તે આત્મ અર્પણતાનો-આત્મસાધનાનો સાચો દાવ એટલે કે સાચી યુક્તિ યા સાચી રીત છે. ' લક્ષ્યાર્થ-વિવેચનઃ સ્તવનની પહેલી ગાથામાં તથા પ્રથમ સ્તવનની છેલ્લી ગાથામાં જે આતમ અરપણની વાત છેડી હતી, તે આત્મ સમર્પણ કેવું હોય તેની વિચારણા આ ગાથામાં છે. પહેલાં તો શરીરધારી આત્માના ત્રણેય પ્રકારને સારી રીતે સમજી લેવા જોઈએ. પછી બહિરાત્મ અવસ્થા જે મિથ્યાભાવવાળી મિથ્યાષ્ટિથી દૂષિત છે; તેને સમ્યગ્દષ્ટિમાં પરિણમાવવી જોઈશે. અઢારમું જે મિથ્યાત્વનું પાપ છે તે અઢારમો હાથી છે. એ અવિનાશી એવા પોતાના આત્મઘરમાંથી બહાર નીકળીને જડ, પર, વિનાશી, એવા પુદ્ગલના બનેલા દેહાદિને પોતાના માની પરઘેર જઈ વસ્યો છે. પરઘરેથી એ સ્વઘર-આત્મઘરે સત્તાએ ‘‘હું પરમાત્મ સ્વરૂપ જ છું?’’ એવી દઢ શ્રદ્ધા થશે તો જ એ શ્રદ્ધાના બળે અંતર્ગત પ્રરછન્નપણે રહેલ પરમાત્મસ્વરૂપનો પર્યાયમાં પ્રગટીકરણનો પુરુષાર્થ કરી શકાશે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy