SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ 169 હૃદય નયન નિહાળે જગધણી - અર્પણતા, સમર્પણતા, સ્વાર્પણતા અને સર્વાણિતા એ ન્યોછાવરીના એક પછી એક ઉત્તરોત્તર ચઢિયાતા પ્રકાર છે. એ એકાકાર કરી શૂન્યાકાર બનાવીને સર્વકાર ભણી લઈ જાય છે. સ્વાનુભૂતિ સંપન્ન ખીમજીબાપાએ સરપણ શબ્દનો અર્થ સાપણ કરીને “પરિસરપણ સુવિચાર” પદનું અર્થઘટન અન્યથી જુદા પડીને આગવી રીતે કર્યું છે. એ દૃષ્ટિકોણ પણ વિચારણીય છે. ' | સરપણ એટલે સાપણ-નાગણ. એ પરિસર-પરિઘ-કુંડાળું રચીનેગૂંચળું વળીને સાપોલિયાઓને જન્મ આપે છે, જે એકથી અધિક ઘણા બધાં હોય છે. પ્રસવ વેદનાથી ભૂખાળવી થયેલ સાપણ પોતે, જેને જન્મ આપ્યો છે, એ પોતાના જ બચ્ચાં-સાપોલિયાને ખાઈ જાય છે. જે બે ચાર સાપોલિયા ગૂંચળા-કુંડાળાની બહાર નીકળી જાય છે તે બચી જાય છેજીવી જાય છે. સાપણ જેવા મન અને બુદ્ધિના ઘેરાવા-ચકરાવાકુંડાળામાંથી જે નીકળી જાય છે તે જ ઈચ્છા- વિચાર રહિત નિરીક (વીતરાગ) અને નિર્વિકલ્પ બની જાય છે અને જીવી જાય છે અર્થાત્ પોતાના મૌલિક સ્વરૂપ અને સ્વભાવને પામીને સાચી ચૈતન્યતાનેજીવંતતાને પામે છે. આ ઉપમાથી યોગીરાજનું કહેવું એમ લાગે છે કે જે કોઈ આ સંસારરૂપી સાપણની નાગચૂડ (પકડ)માંથી નીકળી જાય છે, તે સંસારના ચક્રાવામાંથી મુક્ત થઈ જાય છે. દેહભાવથી મુક્ત થાય છે તે દેહાતીત વિદેહી બનીને અદેહી થાય છે. કુંડાળામાંથી-વર્તુળમાંથી નીકળવા તે વર્તુળને મોટું અને મોટું કરતા જઈને-પરિસરને પસારતા-ફેલાવતા-વિસ્તારતા જઈને પણ તેમાંથી બહાર નીકળી જઈ શકાતું હોય છે. પહેલા જીવન સ્વલક્ષી-સ્વકેન્દ્રી સ્વાર્થી હોય છે. બધે પોતાનો જ સ્વાર્થ જોવાતો હોય છે કે મારું શું? વલણ આત્માના શુદ્ધસ્વરૂપ તરફનું હોય અથવા નિરારાંશભાવે ગુણપ્રાપ્તિનું હોય ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંઘાય.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy