________________
161
- હૃદય નયન નિહાળે જગધણી
5 શ્રી સુમતિનાથ જિન સ્તવન
રાગ : વસંત તથા કેદારો . “ભવિલોકા તુજ દરશન હોઈ..” એ દેશી
સુમતિ-ચરણ-કજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર, સુજ્ઞાની; મતિ તરપણ બહુસમ્મત જાણીએ, પરિસરંપણ સુવિચાર, સુજ્ઞાની.
સુમતિ-ચરણ-કજ આતમ અરપણા.૧ ત્રિવિધ સકલ તનુધરગત આતમા, બહિરાતમ ધુરિ ભેદ સુજ્ઞાની; બીજો અંતર આતમા તીસરો, પરમાતમ અવિચ્છેદ, સુજ્ઞાની. સુમતિવર આતમબુદ્ધ કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ, સુજ્ઞાની; કાયાદિકનો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ સુજ્ઞાની. સુમતિo૩ જ્ઞાનાનંદે પુરણ પાવનો, વરજિત સકલ ઉપાધિ, સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગરુ, ઈમ પરમાતમ સાધુ સુજ્ઞાની. સુમતિ૦૪ બહિરાતમ તજી અંતર આતમ-રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ સુજ્ઞાની. સુમતિo૫ આતમ-અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિ દોષ, સુજ્ઞાની; પરમ પદારથ સંપતિ સંપજે, “આનંદઘન” રસ પોષ, સુજ્ઞાની. સુમતિવ૬
નિશ્ચય સૂમગ્રાહી છે. વ્યવહાર સ્થલગ્રાહી છે. "