SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વિદુષી સાધ્વીજી ભગવંત શ્રી નંદિયશાશ્રીજીના નિર્મળ ચારિત્ર અને જ્ઞાન સાધનાનો પણ સ્પર્શ આ વિવેચનને મળ્યો છે. એનાથી વાચકને અનુભૂતિના વિસ્તારો.... વધુ ઊંડાણથી અવલોકવાનો લાભ મળશે.... આત્માના અનંત ગુણમય સ્વરૂપના સતત સાનિધ્યની સહજ ઝંખનામાં રત શ્રી પનાભાઈ જગજીવનદાસ ગાંધીના કૃપાપાત્ર શ્રીસૂર્યવદનભાઈનો સ્વાધ્યાયપ્રેમ પણ, આ રસમય પ્રદેશને વધુ રસાળ બનાવવામાં સહાયક બન્યો છે. બાવીસમાં તીર્થપતિ દાદા નેમીનાથના સ્તવનના ભાવપૂર્ણ અર્થે યોગના અભ્યાસુ અને દિગમ્બર પરંપરાના સાહિત્યનો ઊંડો અભ્યાસ ઘરાવનાર શ્રી ગુણવંતભાઈના જ્ઞાન પરિશીલનનો સ્પર્શ પામ્યા છે... આમ પ્રભુના માર્ગ ઉપર ચાલનારા વિવિધ રૂચિ અને ક્ષમતાના સાધકો દ્વારા યોગીરાજના વચનની ભાવપૂર્ણયાત્રા વાચકને અચૂક આંતરવૃતિનો અહેસાસ કરાવશે. વિવિધ પદાર્થોના રહસ્યોને પ્રગટાવતી આ વાણીમાં અનાદિકાલથી જેન વિરહ છે.. એની ચીસ છે... તો કયાંક એના દર્શનનો હર્ષોલ્લાસ છે... સકળ શ્રી સંઘના આરાધકોને અવધૂત આનંદઘનજીની ચિદાનંદ મોજની મીઠી છાલકનો અનુભવ કરાવતી આ આધ્યાત્મ યાત્રાની મંજિલ જ મજાની નથી... આખો માર્ગ પણ છલોછલ આનંદ થી સભર છે.. પૂજયશ્રી પ્રત્યે આવા નિર્મળ જ્ઞાનવર્ધક પુરુષાર્થ બદલ અહોભાવની ધારા પ્રગટે છે. આત્માના અસીમ સૌંદર્યને પમાડવામાં નિમિત બનનારી આ પરાવાણી પ્રત્યેક વાચકના હૃદયમાં સ્વરૂપની ઝંખનાને સાકાર કરનારી બની રહો. એવી અંતરની શુભ કામનાઓ સાથે આ સમગ્ર સંપુટને સાકાર બનાવનારા સહુના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી પ્રકટ થાય છે.... અવધૂત આનંદઘનજીના આ હદયોદ્ગાર ના બહુમાનપૂર્વક વધામણા.. દિપક દિનેશચંદ્ર શાહ (બારડોલી) અમદાવાદ.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy