SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ 149 - હૃદય નયન નિહાળે જગધણી પુરુષાર્થ છે. મોક્ષ માટેનો જે જ્ઞાતા-દષ્ટાપણામાં રહેવાનો મોક્ષપુરુષાર્થ છે તે આત્મપુરુષાર્થ છે. કર્તા-ભોક્તાપણાના અવળા ભ્રાંત પુરુષાર્થથી ઘાતિકર્મોના ડુંગરોના ખડકલા ખડકાયા છે. આગ્રહથી તો, એ ઘાતક પાછા દઢીભૂત થાય છે. આગ્રહ એ તો મોટામાં મોટો વિગ્રહ છે. એ આત્મપુરુષાર્થ, ભ્રમ ભાંગીને જ્ઞાયકભાવની પાક્કી ઓળખાણ કરાવડાવી, એ જ્ઞાયકભાવમાં જ કરવાનું (સ્થિર થવાનું) લક્ષ બંધાવે છે. આ લક્ષની પૂર્તિ માટેના જ આચાર, વિચાર અને વ્યવહાર, જ્ઞાની, દેવ ગુરુ ભગવંતો બતાડે છે અને એના જ અનુસરણનો ઉપદેશ આપે છે. આ માટે થઈને જ અભિનંદન જિનના દર્શન કરવા જાઉં છું અને આપના જિનદર્શનના માધ્યમે જૈનદર્શનને પામવા જાઉં છું; તો મારા જ બાંધેલા ને ઊભા કરેલાં ઘાતિકર્મોના ડુંગરા-ખડકલાઓ આંડ આવે છે અને અંતરાય કરે છે. અજ્ઞાની અને અહંકારી બનીને મોહવશ થઈ મેં જ એને પોષ્યા છે, જે આજે મારી જ આડે આવી મને આગળ વધવામાં અટકાયત કરે છે. મારા જ કર્યા મારી આડે આવે છે. ભ્રાંતિની ભીંત આડી આવી દર્શન કરવા દેતી નથી. દર્શન થતું નથી તેથી ભાસન, આચરણ-રમણ પણ થતું નથી. ધીરા ભગતે પણ કંઈક આવી જ વાત જરા અવળી રીતે કરી છે.. તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ; અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહીં. સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગ રાજન; તલની ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન; દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી. તણખલા જેવા કર્મોની ઓથે-એની છાયામાં, પર્વત સમાન માનતા દ્રવ્યસ્વભાવ અને પર્યાય સ્વભાવ, એમ બે સ્વભાવ છે. આ બે સ્વભાવમાં આલંબન વ્યસ્વભાવનું લેવું કે જે ત્રિકાળ છે. પર્યાય સ્વભાવ ક્ષણિક છે. એના જ્ઞાતા દષ્ટા થવું.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy