SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ 137 હૃદય નયન નિહાળે જગધણી એ બહારના દશ્ય વ્યવહારથી ભાવિત બની ઉપાદાનની યોગ્યતા પ્રગટાવી પ્રભુની સાચી આંતરિક નૈશ્ચયિક પ્રભુતાના-આંતરવૈભવનાઆંતરઐશ્વર્યના દરિસણ કરવાના છે. એ તો તીર્થકર નામકર્મના રસોદયથી નિર્માણ થયેલું બાહ્યદશ્ય-બાહ્યદર્શન છે. સાધકે એમાં પરમાત્મસ્વરૂપની દિવ્યતાના અનંતદર્શન (કવળદર્શન), અનંતજ્ઞાન (કવળજ્ઞાન), અનંતવીર્ય (અનંતશક્તિ), અનંતસુખના દિવ્યદર્શન કરવાના છે. એ જ સકલ નિર્ણયાત્મક, સકલ શંકા નિવારક, નિઃશંકતાદાયક વિશેષ એવું સ્વાનુભૂતિથી જ થઈ શકતું નિશ્ચયાત્મક ભાવદર્શન છે. કોઇ, કોઇને પોતાના ભાવ દેખાડી, જેણાવી કે કહી શકતું નથી. એ તો એવા ભાવને પામીએ ત્યારે જ એ જોઇ, જાણી અને અનુભવી શકીએ અને ત્યારે જ તે ભાવના સાચા ખરા ભાવદર્શન-દિવ્યદર્શન કર્યા કહેવાય..અવધૂત યોગી, કવિરાજ આવા દિવ્યદરિસણને તલસે છે અને સહુને એવા દર્શન કરવા જણાવે છે. . વળી યોગીરાજજીનું કહેવાનું એમ પણ થાય છે કે સમ્યગ્દર્શન જ જ્યાં દોહ્યલું છે ત્યાં સમ્યગ્રજ્ઞાન જે સમ્યગ્દર્શનની દેણ છે તે સકલ નિર્ણયાત્મક વિશેષ જ્ઞાન-વિશેષ ઉપયોગની દુર્લભતાની વાત કેમ કરીને કરવી ? આ વસ્તુતત્ત્વને દૃષ્ટાંતથી વિગતે સ્પષ્ટતા કરતાં એઓશ્રી જણાવે છે કે એક તો એ પોતે મૂળમાં અંધ-આંધળો છે અને ઉપરથી પાછો હું અને “મારાપણાના અહેમદથી ઘેરાયેલો નશામાં ચકચૂર મદમાતો છે. એવો જીવ રવિ-શશી એટલે કે સૂર્ય-ચન્દ્રને કેમ જોઈ શકે અને એનું વિશ્લેષણ-પૃથક્કરણ કરીને સૂર્યને સૂર્ય તરીકે અને ચન્દ્રને ચન્દ્ર તરીકે જુદા તારવીને ભેદજ્ઞાન કરી ઓળખાવી કેમ શકે? દિવસ અને રાત્રિનો ભેદ કેમ કરી શકે ? સંસારના સંબંધમાં વિવેકી બનીને જે જીવ જીવે તે ઈતિમાં નહિ જાય. એવાં જન સજ્જન છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy