SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અભિનંદન સ્વામીજી , 134 પ્રવચનસારમાં ભગવાન કુંદકુંદાચાર્ય જણાવે છે... जो झायइ अरिहंते दव्वगुणपज्जवंतेहि। सो जायइ अप्पाणं मोहो खलु जाइ तस्स लयं ।। જે આત્મા શ્રી અરિહંત પરમાત્માનું દ્રવ્ય-ગુણ-પર્યાયથી સાચું ધ્યાન ધરે છે, તે આત્મામાંથી દર્શનમોહ દૂર થતાં તેને સાચું આત્મભાન થાય છે. નવપદમાંના અરિહંતપદનો દુહો પણ આ વાતના સમર્થનમાં કહે છે... અરિહંત પદ ધ્યાતો થકો, દશ્વક ગુણ પજાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. દર્શનથી દર્શન છે. શ્રી અભિનંદનના દરિસણથી આત્માને અભિનંદીત કરનારું આનંદ પમાડનારું સમ્યગ્દર્શન – આત્મદર્શન થાય છે. પૂ. ક્ષમારતન-ખીમારતનજી પણ ગાય છે... મૂળનાયક શ્રી આદિજિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચારા; અષ્ટ દ્રવ્યશું પૂજો ભાવે, સમકિત મૂલ આધાર રે, ધન્ય૦ આમ જોઈએ તો સાધારણ રીતે પહેલા, પ્રથમ તો પ્રભુનું દર્શન થવું જ અતિ મુશ્કેલ છે. સાક્ષાત્ સમવસરણમાં બિરાજમાન, અષ્ટપ્રાતિહાર્યોથી શોભિત, મોહક, આકર્ષક, ચોત્રીસ અતિશયોથી યુક્ત, મહિમાવંત પ્રભાવક, વાણીના પાંત્રીસ ગુણોથી અલંકૃત, સ્યાદ્વાદયુક્ત વીતરાગવાણીથી તીર્થસ્થાપક, મોક્ષમાર્ગ પ્રરૂપક, મોક્ષપ્રદાયક, સમવસરણાધિપતિ, ભાવજિનેશ્વર, તીર્થકર ભગવંતના દર્શન જ જીવને દોહ્યલું છે. ભાવનિક્ષેપ સમાઘિ આત્માનો શુદ્ધ સ્વચ્છ પર્યાય છે. એને કેમ બગાડાય ?
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy