SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ 85 હૃદય નયન નિહાળે જગધણી રહેલ સંભવિત-શક્ય એવા કારણ ઉપાદાનને તૈયાર કરવું એ સર્વપ્રથમ પ્રધાનપણે કરવાની જરૂર છે. કારણ જ કાર્યરૂપે પરિણમતું હોય છે. કારણ સેવન વિના કાર્યસિદ્ધિ નથી. કારણ એટલે કે સાધન મળવા છતાં સાધ્યની સિદ્ધિ કરવી નહિ તે અપાત્રતા-મૂર્ખતા છે અને કારણ સેવ્યા વિના કાર્યસિદ્ધિને ઈચ્છવી તે ઉન્માદ-ગાંડપણ છે. તેથી જ અયોગ્ય, મૂર્ખને સાધન અને સાધના આપવામાં આવતા નથી. કદાચ જો મળ્યાં હોય તો તેના દુરુપયોગને કારણે પોતાની જ મૂર્ખતાથી એ સાધનો ગુમાવી બેસે છે. તે જ પ્રમાણે સાધન વિના-સાધના વિના સિદ્ધિને ઈચ્છનારો-કારણના સેવન વિના કાર્યસિદ્ધિને વાંછનાર શેખચલ્લીની જેમ હવામાં હવાઈ-કિલ્લા બાંધનારો, ગાંડો છે. યોગીરાજજીને મન તો ત્રીજો સંભવ જિનેશ્વર જ વસ્યા છે અને એમની જ પ્રાર્થના-સ્તવના-આરાધના તેઓશ્રી કરી રહ્યાં છે. પરંતુ સંભવદેવા તે...કે પછી સંભવ દેવત... શબ્દપ્રયોગથી હૃદયની વિશાળતા દાખવતા અજૈનને પણ જણાવે છે કે જે કોઈ દેવ તરીકે સંભવતા હોય, જેમનામાં તમને દેવત-દેવત્વ સંભવિત જણાતું હોય, તે તે દેવને સેવીને એટલે કે એમના શરણે રહીને તમારા પોતાના દેવત્વને પ્રગટ કરવાના કાર્યના કારણરૂપ પૂર્વસેવારૂપે તમે અભય, અદ્રેષ, અખેદ થાઓ ! ‘દેવ' શબ્દમાં સર્વ દેવોનો સમાવેશ કરવા દ્વારા “ચારિસંજીવનીચાર” ન્યાયે કાળક્રમે કરીને સંજીવનીચારના ચારાને પામી આત્મા એના (મૂળ) મૌલિક શુદ્ધ પરમ આત્મસ્વરૂપને મેળવે-પ્રગટ કરે; એવો ગંભીર આશય યોગીરાજજીનો હોઈ શકે. ભૂમિકા શુદ્ધિ ન થાય ત્યાં સુધી તેના ઉપર કોઈ સુંદર દર્શનીય આનંદદાયી ચિતરામણ થઈ શકતું નથી કે પ્રતિબિંબ ઉપસતું નથી. એ આજે આપણામાં આપણી અવળી યાલમાં વિમાનના જેવો વેગ છે અને સવળી યાલમાં કીડી જેવી મંદ ગતિ છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy