SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંભવનાથજી પરમાત્મ-સ્વરૂપની પૂજના-ભજના પણ પૂજા છે. પરમાત્મપૂજાના આલંબનથી સ્વયંના પરમાત્મ-સ્વરૂપનું પ્રગટીકરણ કરવાનું છે. તેથી તો પદ્મવિજયજીએ ગાયું... જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે એહ સમય પ્રભુ પાળજો, જેમ થાઉં અક્ષય અભંગ. પ્રથમ 84 કહ્યુ છે... જિનપદ નિજપદ એક હૈ, ભેદ-ભાવ કછુ નાહી; લક્ષ થવાને કારણે કહ્યા શાસ્ત્ર સુખદાઈ. કબીરજી પણ ગાય છે... તૂ તૂં કરતા તેં ભયા તુઝમેં રહા સમાય, તુઝ માહીં મન મિલિ રહા અબ કહું અનતન જાય.. હે. ભવ્યાત્મા ! તારું દેવપણું એટલે દેવત-દેવત્વ-દિવ્યતાપરમાત્મત્વ, તારામાં જ અપ્રગટપણે, સત્તાગત ભંડારાયેલું પડ્યું છે. તેથી જાણે કવિરાજ કહે છે કે હે દેવ થવાને સંભવેલો સહુથી પહેલાં તો તું તારા જ દૈવત્વની ઓળખ કરી લઈને એની જ ભજના-સેવના કર ! પુરુષાર્થ કરીને સંભવને સંભવ બનાવ ! જીવ ધારે તો એના પોતામાં રહેલ શિવત્વને પ્રયત્ન કરી પ્રગટ કરી શકે છે. સંભવિત છે પણ જીવ પ્રયત્ન કરે તો જ એ સંભવિત; સંભવિત થાય. એ સેવનને માટેની પહેલી ભૂમિકા-પીઠિકા એ છે કે અભય, અદ્વેષ, અખેદ ગુણ કેળવવારૂપ ઉપાદાનને તૈયાર કરવાથી સ્વયંના પરમાત્મત્વની ઓળખ કરી શકાય છે. સિદ્ધત્વના કાર્યરૂપે જે ઉપાદાન પરિણમી શકે તેવા પોતામાં વિશ્વમાં કોઇપણ કાર્ય એવું નથી કે ઉપાદાન અને નિમિત્ત એ ઉભય કારણ સિવાય ઘટમાન થતું હોય.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy