SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અજિતનાથજી 78 વિચાર છે. આ કુંડા અવસર્પિણીના પડતા પંચમકાળમાં પણ જિનબિંબ, જિનમંદિર, જિનાગમ અને સર્વવિરતિધરનો યોગ અને આલંબન મળ્યા છે. એ કદાચ અમારા ઉપાદાનને અનુરૂપ એક પ્રકારની કાળલબ્ધિ જ છે, જે આગળ ઉપર ક્ષાયિકતાને પ્રાયોગ્ય કાળલબ્ધિ મેળવી આપશે. એ શીઘ્રાતિશીઘ્ર મળે એવી આપ કૃપા વરસાવજો ! વધારે ઊંડાણથી સૂક્ષ્મ રીતે વિચારીએ તો યોગીવર્ય આનંદઘનજીનું કહેવાનું તાત્પર્ય, એ પણ હોઇ શકે છે કે જે કાંઇ બોધ મળ્યો છે અને મળી રહ્યો છે તે અન્ય વ્યક્તિની સ્વાનુભૂતિમાંથી પ્રગટેલી બોધવાણી છે. એટલે તે વાસી છે. એ બોધને–એ કથનને હું જ્યાં સુધી જાતે અનુભવું નહિ ત્યાં સુધી તે બોધ મને તાજગી આપનાર નથી, તેથી મારે માટે તે વાસી છે. અર્થાત્ જે બોધ - જે કથન છે તેનું સ્વયં અનુભવન ન થાય ત્યાં સુધી તે સ્વાનુભવ નથી. માટે હે પ્રભુ ! શીઘ્રાતિશીઘ્ર એવો અવસર આવે કે આપે કથન કરેલ આત્મદશાનું મને અનુભવન થાય. બોધ એ હોજનું સંગ્રહિત જલ છે જે વાસી હોય છે. જ્યારે અનુભિત એ કૂવામાંથી ફૂટતી ભૂતલની ભીતરની સરવાણીનું જલ છે. જ્ઞાનના પ્રમાણની નહિ પણ જ્ઞાનની અસરની કિંમત મોટી છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy