________________
63
ય નયન નિહાળે જગધણી
જે દૃષ્ટિકોણથી વસ્તુતત્ત્વને જુએ છે તે દૃષ્ટિકોણથી વાત કરે છે. જ્ઞાની, એના દૃષ્ટિકોણથી, એની વાત સમજીને એની વાત કયા દૃષ્ટિકોણથી છે અને અન્ય દૃષ્ટિકોણથી વસ્તુતત્ત્વ કઈ રીતે હોય, તે સમજાવીને વસ્તુતત્ત્વનો સ્વીકાર સામાની સન્મતિ ઉપર છોડી દઈ પોતે નિરાગ્રહી, મુક્ત, વીતરાગ રહે.
સામી વ્યક્તિ ખોટી હોય તો પણ તેને “તું ખોટો છે!” એમ કહેવાય નહિ. કારણ કે તેમ કહેવામાં તેના ભાવપ્રાણ દુઃભાય છે અને તેથી તેમ કહેવા જતાં તેની ભાવહિંસા થાય છે. જે જ્ઞાની દ્રવ્યહિંસાના પાપથી પણ ડરે છે તે બીજાની ભાવહિંસા કેમ કરી શકે? વીતરાગ, સર્વજ્ઞ, તીર્થકર, મહાવીર-ભગવંત સામે વાદ કરવા આવેલ અને પછી સત્ય સમજાતાં શરણાગત થઈ સંપૂર્ણ સમર્પિત બનેલ ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ ગણધરનો પ્રસંગ આ જ વાત આપણને સમજાવે છે. જ્ઞાની કોઈનો પરાભવ ક્યારેય નહિ ઈચ્છે. એ તો રાગદ્વેષ જીતેલાં હોય અને જગતને જીતાડનારા એવા “જિણાણે જાવયાણ” અજિતનાથ ભગવાન જેવા પ્રેમસ્વરૂપ હોય.
* . - વર્તમાન કાળમાં તો આયુષ્ય અલ્પ છે અને પાછી જ્ઞાનની મંદતા છે. તર્કવિતર્ક ને વાદવિવાદની પરંપરાથી કોઈનાથીય પાર પહોંચાય એમ નથી. એ પળોજણમાં તો ભવ, હારી જવા જેવું અને વેડફી નાખવા જેવું થાય છે. બુદ્ધિ ભેદક છે. (એ ભેદમાં ભેદ પાડી તડો પડાવે છે). પ્રજ્ઞાઆત્મજ્ઞાન ભેદ મીટાવી અભેદમાં લઈ જાય છે. વિશેષભાવમાંથી સામાન્યમાં લઈ જઈ નિર્વિશેષ પદે પહોંચાડે છે. બાર ભાવનાઓ અને વળી મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓ પણ એટલા જ માટે આપી છે કે વાદવિખવાદથી પર થઈ સમભાવમાં રહેવાય ને સ્વભાવમાં જવાય.
સાયા ખોટામાં વિવેક હોય જ્યારે નિંદા-પ્રસંશા, પ્રતિકૂળતા-અનુકૂળતા, સારાં-નરસામાં સમભાવ
હોય.