SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૦ 1758 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ જાય. જરા ડંખ મારવા જાય કે તરત હાથનો ઝપાટો લાગે ને બિચારાના રામ રમી જાય. આવડી મોટી કાયામાં એક નાનીશી ફોલ્લી થાય ત્યાં ડોક્ટરને ત્યાં દોડધામ ચાલુ થઈ જાય. જરા નખ કાચો ઊતરે તો હજામના બાર વાગી જાય. આ બધા ચાળા શાના ? શરીરમાં મારાપણું ઠાંસી ઠાંસીને ભર્યું છે તેના જ ને ? શરીરને કાંઈક થાય કે ન પોતે ઊંઘે કે ન બીજાને ઊંઘવા દે; ત્યાં મૌન રહે શી રીતે ? શાસનને પોતાનું માન્યું નથી માટે મૌન સેવાય છે. . . મમતા શરીરની ઉતારવાની છે, શાસનની નહિ શરીરને તો એવું પોતાનું માન્યું છે કે ઑપરેશન કરતાં પહેલાં નશો દેવો પડે છે, નહિ તો કાપવા દે શી રીતે ? પરંતુ શરીરની આવી મમતી ઉતારી નાખવાનું શાસ્ત્ર કહ્યું છે. શરીરની જેમ શાસનની મમતા પણ ઉતારવાનો તમારો વિચાર છે કે શું ? એવું હોય તો કહી દેજો. શાસનની મમતા ઉતારી કે નજીક આવતું કેવળજ્ઞાન ત્યાં અટકી જશે અને પછી ત્યાંથી પાછું. ફરશે. વાલીમુનિએ તીર્થનાશનો પ્રસંગ ઊભો થયો જાણી ધ્યાનને બાજુએ મૂક્યું. કૃપણનો કાકો પણ બીમારી વખતે વૈદ્ય કે ડૉક્ટરને મોં માગ્યા દામ આપે છે. શરીરને પોતાનું માન્યું છે. જ્યારે શાસન હજી પોતાનું મનાયું નથી. જ્ઞાની કહે છે કે, મુક્તિ કરતાં શાસન પર બહુ ભાવ જોઈએ. નોકરને પૈસા કરતાં શેઠ પર વધારે પ્રેમ હોય. પૈસા ખર્ચીને પણ શેઠનું એ સન્માન કરે; સમજે છે કે એ ખર્ચ નકામો જવાનો નથી. “ભવે મરે તુ ચMirr'ની માંગણી એ જ હેતુએ છે. ઉપાધ્યાયજી મહારાજે શ્રી જિનેશ્વરદેવની ભક્તિને મુક્તિની દૂતી કહી છે. ભક્તિભાવમાં ચઢે પછી મુક્તિની દરકાર ઓછી. કેમ કે પછી મુક્તિ જવાની છે ક્યાં ? આવ્યા વિના એનો છૂટકો જ નથી. શાસન રોમ રોમ પરિણમ્યું હોય તો આ બધું થાય. એવા આત્માને કદી ક્રોધ થાય તો પણ પ્રશસ્ત હોઈ સાધક કોટિમાં છે. આજે તો મંદિરે જવું વગેરે ક્રિયા તો બધી કરાય છે. પણ શાસન હૈયે નથી. ઘર, બજાર, પેઢી એ બધું હૈયે છે માટે ત્યાં કોઈ પણ વાતમાં હશે હવે !” કહીને ઢીલું મુકાતું નથી. મંદિર, ઉપાશ્રયની બાબતમાં વાતવાતમાં “હશે હવે ! એમાં શું થઈ ગયું !” એ પ્રમાણે બોલવું રૂઢ થઈ ગયું છે. એનું કારણ એ જ છે કે શાસન હૈયે નથી. જે ચીજ હૈયે વસે તેના માટે એવું ન જ કહેવાય. આજ્ઞાભ્રષ્ટના ટોળામાં ન રહેવું હવે એ મહાત્મા કહે છે કે, આજ્ઞાભંગના પ્રસંગે છતી શક્તિએ મૌન ધારણ કરનારા અવિધિની અનુમોદના કરનારા થવાથી એમનાં વ્રતોનો લોપ થાય છે અને એમણે કરેલી સેવા ક્ષણમાં નકામી જાય છે. ગમે તેટલી સેવા કરી હોય પણ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy