SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1612 નિશાળમાં ભણવા આવતા' એમ વાતો કરાવતા ગુરુ પાસે પહોંચી ગયા. ગુરુએ પણ જોતાંની સાથે મુનિને પૂછ્યું કે, “આ ભાગ્યશાળીને કેમ લાવ્યા ? દીક્ષા લેવા ?' મુનિ કહે, “હાજી. હવે આને કંઈ દીક્ષાની ભાવના નહોતી. પણ ના પાડે તો ભાઈ ખોટા પડે, એટલે ગુરુએ જ્યારે એને પૂછ્યું કે, “કેમ ભાગ્યશાળી ! દિક્ષા લેવી છે ને ?” એટલે કહે, “હાજી.” ગુરુએ તે જ વખતે દીક્ષા આપી અને ત્યાંથી અન્ય મુનિઓ સાથે તરત જ વિહાર પણ કરાવી દીધો. સગાંવહાલાં આવ્યાં તેમને ગુરુએ કહી દીધું કે, “ભવદેવ આવ્યો હતો ખરો પંણ તે તો ગયો.” આ ભવદેવને જરા પણ દીક્ષાના ભાવ ન હતા. નાગિલાના ધ્યાનમાં જ બાર વર્ષ સુધી ભાવ વિના સંયમ પાળ્યું છે. એ જ ભવદવ તે અંતિમ ભાવમાં જંબુસ્વામી થયા છે, પાંચસો ચોરોના પ્રતિબોધક થયા છે, ભગવાનના શાસનમાં ચરમ કેવળી થયા છે. જ્ઞાનીઓના માર્ગના આવા રહસ્યની એ અજ્ઞાનીઓને શી ખબર પડે ? મોક્ષ માટેની દીક્ષા આપવાની પ્રવૃત્તિને પઠાણશાહી કહેનારો પોતે જાતે જ શ્રી જૈનશાસનનો નાશ નોતરવા પઠાણશાહી ચલાવી રહ્યા છે. એમને છાજે એવું એ બોલે છે ને કરે છે અને એમની જાતનાં જાનૈયા એમનું સાંભળે છે અને એમના ટોળામાં ભળે છે. એવાઓ કદી દુન્યવી ડિગ્રીઓ ધરાવતા હોય તોયે અજ્ઞાન અને બેસમજ છે. જૈનશાસનની દયાને નહિ સમજનારા ગમે તેમ બોલે તોય મૂંઝાવું નહિ. શ્રીસંઘરૂ૫ મેરૂની જીવદયા રૂપી ગુફાઓ અને તપસ્વી મુનિઓ રૂપી ઉદ્દામ બનેલા સિંહો વિષે હજી પણ જ્ઞાનીઓ જે વિશેષ વર્ણન કરે તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy