SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ – સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ – – 1602 આવે ધીમે ધીમે એ વાત ખરી પણ એ આવવી જોઈએ એમ તો હૈયામાં હોવું ઘટે. હૈયામાં એ આવ્યું પછી ફિકર નહિ. એકડા વગરનાં મીંડાં જ્યારે પોતાના આત્માની દયા આવે ત્યારે જ પરના આત્માની દયા સાચી રીતે પળાય. મોહ છોડીને ધર્મ તો ત્યારે જ થાય. એક મુક્તિને છોડીને દુન્યવી તમામ ચીજોની ઇચ્છાથી જો લોકો પાસે ચોવીસે કલાક પગના અંગૂઠા પકડાવીને પણ ધર્મ કરાવવો હોય તો મુશ્કેલ નથી. એ માટે તો બધા લોકો બધું કરવા તૈયાર છે. બે ઘડીનું નહિ પણ ચોવીસે કલાકનું પડિક્કમણું આનાથી સો ગુણા આદમી કરવા આવે પણ દુનિયાદારીના લાભ માટે, મુક્તિ માટે નહિ. એ બધાને શ્રી જૈનશાસને નાસ્તિક અને મિથ્યાદૃષ્ટિની કોટિના કહ્યા છે, એકડા વગરનાં એ મીંડાં છે. ભલે અબજોની સંખ્યા સુધીનાં એ મીંડાં હોય પણ એની કિંમત શી ? એકડા વિનાનું એક મીંડું હોય કે અનેક મીંડાં હોય એ બધું સરખું જ છે. કિંમત વિનાનું જ છે. એક એકડો આગળ આવે એટલે એની કિંમત વધી જાય. પછી તો જેટલાં મીંડાં વધારે એટલી કિંમત વધારે. સંસારમાં કતલખાનું લાગે ત્યારે એકડો આવે. મોહનું સામ્રાજ્ય ભયંકર છે: આજ સુધી આપણે સંસારને અસાર કહેતા હતા, હવે એને કતલખાનું કહીએ છીએ. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ સંસારને સત્તર ભયંકર ઉપમાઓ આપી છે એમાંની આ એક છે. આપણે ઘરનું કાંઈ કહેવું નથી. જે કહેવું છે તે મહાપુરુષો શાસ્ત્રોમાં લખી ગયા તે જ કહેવું છે. કોઈ ક્ષણ. એવી નથી કે જેમાં આત્માની કતલ ચાલુ ન હોય. વીતરાગ ભાવને પામવાની તૈયારીવાળા પણ ગબડી જાય છે. સાવધ રહેવામાં ન આવે તો આવેલાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ક્ષણમાં ચાલ્યાં જાય છે. શ્રી તીર્થંકર નામ કર્મના ભેગાં થયેલાં દળિયાં, વિના સાવધગીરીએ, ક્ષણમાં વિખરાઈ જાય છે. સાવધાની વિના તો બધી મહેનત પળવારમાં ધૂળમાં મળી જાય છે. મોહનું સામ્રાજ્ય મહાભયંકર છે. મોહ દેખાવમાં મીઠો છે. પણ પરિણામે ખતરનાક છે. રૂપરંગમાં એ એવા મૂંઝવે કે ન પૂછો વાત. મોહના સાથમાં પડેલા પણ અંશે દુર્જન છે, જ્યારે મોહ મહાદુર્જન છે. માટે જ જ્ઞાનીઓએ “આપ્ત વચન પ્રમાણ” એમ કહ્યું. મોહાધીન જતો અનાપ્ત છે. અનાપ્ત વચન પ્રમાણ ન કહ્યું; કેમ કે એનો ભરોસો નહિ, એ ક્યારે દગો દે તે કહેવાય નહિ, કેમ કે એ પોતે જ મોહને પરાધીન થઈને પડેલા છે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy