________________
૨૮૮
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
15
જે હદયથી ઉત્તમ બને, તે સંતોષ અનુભવે!
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘરૂપ મેરૂનું વર્ણન કરતાં તેમાં રહેલા સંતોષરૂપ નંદનવનના સ્વરૂપને સ્પષ્ટ કરે છે. એ સંતોષરૂપ નંદનવનનો આનંદ સાધુઓ જ લૂંટી શકે છે. સંતોષ એ એવી વસ્તુ છે કે જેનો અનુભવ તે જ કરી શકે કે જે હૃદયથી ઉત્તમ બને. અશુભ અધ્યવસાય ગયા વિના શુભ અધ્યવસાય આવે નહિ. શુભ અધ્યવસાય આવે ત્યારે એના યોગે કર્મક્ષય થવાથી ઉત્તમ ચિત્ત ઉજ્વલ બની નિરંતર સૂત્રાર્થનું સ્મરણ કરી ઝળહળતું બને છે. આમ ન થાય ત્યાં સુધી સંતોષ આવે નહિ. શુદ્ર હૃદયવાળા કદી સંતોષ ન પામી શકે. સંતોષનો આનંદ સાધુઓ જ માણી શકે છે, એમ કહેવાનો હેતુ એક જ છે કે સંપૂર્ણ રીતે સઘળા અશુભનો ત્યાગ સાધુઓ જ કરી શકે છે. જેનો પુરુષાર્થ કેવળ મોક્ષ માટે જ હોય તેને જ સંતોષ હોય. મોક્ષ સિવાયનો પુરુષાર્થ તો ધર્મકરણીમાં પણ ક્ષુદ્રતા લાવે. ધર્મ કરતી વખતે પણ એ દુન્યવી પદાર્થોમાં રાચેસાચે. સાધુપણાના અર્થીને પણ આંશિક સંતોષ હોઈ શકે. પણ એ પુરુષાર્થ એકલા મોક્ષ માટે જ કરવા જેવો છે એમ માને તો. મોક્ષ માટે પુરુષાર્થ કરનારને અર્થ કામની ચિંતા કરવી જ ન પડે. અર્થકામ તો એની મેળે જ આવીને એને મળે. અર્થકામ માટેનો પુરુષાર્થ તો ભયંકર છે. ત્યાં તો ભાગ્ય હોય તો જ એની પ્રાપ્તિ થાય. અર્થકામ આવે તોય દુખ, જાય તોય દુ:ખ, પરિણામે પણ દુખઃ
અર્થકામની ઇચ્છા થયા પછી તે મળે તોયે પાપ અને ન મળે તોયે પાપ. અર્થકામની ઇચ્છા થયા પછી વસ્તુ મળે કે ન મળે તોયે એ ઇચ્છા આત્માને સંસારમાં રખડાવે. વસ્તુ મેળવવાની ઇચ્છા થઈ કે આર્તધ્યાન શરૂ થયું. પછી પુરુષાર્થ ઘણો કર્યો. પણ ભાગ્યના અભાવે ન મળ્યું તો નિરાશા આવે, પોતાના ભાગ્ય પર ગુસ્સો આવે, બીજા ઉપર પણ ઈર્ષાભાવથી રોષ પેદા થાય, દુષ્ટ ભાવનાઓ જાગે; મળે તોયે ભાગીદાર વગેરેને ભાગ આપવાનો આવે ત્યારે તેમના પ્રત્યે દુર્ભાવના જાગે અને પરિણામે દુર્ગતિ થાય. મળે એને સાચવવાની પણ ચિંતા કેટલી ? પ્રયત્ન કરનારામાં પણ ભાગ્ય હોય એને મળે ને ભાગ્ય ન હોય એને ન મળે. ઇચ્છા થતાંની સાથે જ પરિણામ બગડવા માંડે અને કર્મબંધ થવા માંડે. મુદ્દો એ છે કે અર્થકામ આવે તોયે દુઃખ, જાય તોયે દુઃખ, પરિણામે પણ દુઃખ, મોક્ષ માટેનો પુરુષાર્થ આરંભાય ત્યારથી આર્તધ્યાન મંદ પડે. કદાચ પ્રયત્ન પૂરો ન થાય તોયે એક, બે, પાંચ કે પચીસ ભવે પણ મુક્તિ મળે જ અને ત્યાં સુધી અર્થકામ એને છોડે નહિ. એક દિવસનું સંયમ જો મોક્ષ ન આપી શકે