________________
1436
૨૪૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
શો ? અશુભ અધ્યવસાય ગયા વિના નિયમ થાય કેવી રીતે ? અશુભ અધ્યવસાય ગયા વિના નિયમ થાય નહિ, નિયમ વિના ચિત્ત ઉત્તમ બને નહિ, ચિત્ત ઉત્તમ બન્યા વિના શુભ અધ્યવસાય આવે નહિ, શુભ અધ્યવસાય આવ્યા વિના કર્મ ખસે નહિ, કર્મ ખસ્યા વિના ચિત્ત ઉજ્વલ (શુદ્ધ) બને નહિ, ચિત્ત શુદ્ધ બન્યા વિના સૂત્ર તથા અર્થનું નિરંતર સ્મરણ થાય નહિ અને એ સ્મરણ થાય નહિ ત્યાં સુધી ચિત્ત દીપ્તિમાન બને નહિ; આ બધી પરંપરા છે. નિયમનો હેતુ સમજો ઃ
અયોગ્ય વસ્તુ અયોગ્ય જણાય નહિ ત્યાં સુધી એનાથી બચવાના નિયમો લેવાની ભાવના થાય શાની ? આજના નિયમો મોટા ભાગે શોભારૂપ છે, નિયમધારી કહેવરાવવારૂપ છે. એ નિયમોની આત્માને અસર થવી જોઈએ તે થતી નથી. નિયમો હોવા છતાં આત્માની નિદ્રા જીવતી જાગતી રહે છે. જ્યાં આત્મા જીવતો જાગતો રહેવો જોઈએ, તેને બદલે એની નિદ્રા જીવતી જાગતી રહે એ કેવી ઊલટી દશા ? જો અયોગ્ય પ્રવૃત્તિ અટકે જ નહિ તો એ નિયમ શાના ? નિયમનો હેતુ સમજાય તો આ દશાન હોય.
સંતોષ છે ત્યાં ધમાલ નથી :
નિયમ એ અંકુશ છે; લગામ છે. પરંતુ આજે નિયમ એવા કે એ મોટા ભાગે લગામ બને જ નહિ. વાત એ છે કે વિષયકષાયનો ભય પેદા થયો નથી અને ભય પેદા થયા વિના જે પરિણામ લાવવા માગીએ તે આવે નહિ. સંતોષ છે ત્યાં ધમાલ નથી. બધી ધમાલનું મૂળ અસંતોષ છે. ટીકાકાર મહર્ષિ ફ૨માવે છે કે ઇંદ્રિયો તથા મન પર કાબૂ મૂકે તે જ નિયમ. જ્યાં અંકુશ નહિ તે નિયમ નથી. નિયમની વાતમાં બારીઓ રાખવાની વાત ભૂલી જાઓ. જેને વિષયકષાય જ ગોખ્યા કરવા છે, એની ગુલામી જ જારી રાખવી છે તેને આવા નિયમો નહિ જ ગમવાના. તમને વિષયકષાયની સોબતમાં આત્મકલ્યાણ લાગે છે ? આજનો નિયમ લેનારો પોતાના વિષયકષાયમાં જરાય હ૨કત ન આવે એ જ ધ્યાન રાખે છે. એવા નિયમોની આત્માને અસર થતી નથી, જીવનમાં પરિવર્તન આવતું નથી, ચિત્ત ઉત્તમ બનતું નથી, શુદ્ધતા અને દીપ્તિમત્તા આવતી નથી. એવો આત્મા સંતોષરૂપી નંદનવનનો લાભ કઈ રીતે લઈ શકે ? તમારી સાધુપણાની ઇચ્છા કેવી ?
સંતોષરૂપી નંદનવનનો સંપૂર્ણ આનંદ સાધુઓ લઈ શકે અને તે પછી એનો આંશિક આનંદ સાધુપણાના અર્થીઓ લઈ શકે છે. સાધુપણાની