________________
૧૮૬
-
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
174
એ સમયધર્મ ભગવાનના શાસનનો નથી ?
એક મહર્ષિ તો કહે છે કે-સમયના જાણને “કાલે કરીશ” એમ કહેવાનો હક્ક નથી. સમયનો જાણ રાત્રે સૂવે કઈ ઇચ્છાથી અને કેવી રીતે ? “આટલું કામ બાકી છે તે હવે સવારે કરીશ” એમ વિચારીને એ સૂવે ? કે સૂતી વખતે પાપો હૈયાથી બહાર કાઢીને બધું વોસિરાવીને સૂવે ? સવૅ તિવિહેણે વોસિરિય” કહીને એ સૂવે. સવારે પ્રતિક્રમણ. જિનદર્શન-પૂજન, જિનવાણીના શ્રવણ વગેરે ધર્મકરણી કરવાના અભિલાષપૂર્વક સૂવે. જ્યાં બેઠા છીએ ત્યાં ઇચ્છાનુસાર વર્તવામાં કે રહેવામાં હરકત નથી. જ્યાં રહેવું ત્યાં પાપ માનવું ન નભે, જેની જરૂરિયાત તેને ખોટું કહેવાનો હક્ક નથી. જેના વિના ન ચાલે તેને પાપ કેમ કહેવાય ?” આવા વિચાર દર્શાવનારો સમયધર્મ ભગવાનના શાસનનો નથી. આવા સાચાબોલાનો જૈનશાસનમાં ખપ નથીઃ
ગઈ કાલે કહ્યું હતું કે આજના વ્યવહારકુશળો ધર્મઘાતક છે. વ્યવહારકુશળ સાથે ધર્મકુશળ હોત તો હરકત ન હતી. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે-ધર્મકુશળતા વિના સાચી વ્યવહારકુશળતા આવતી નથી. ગમે તેવું સારું કામ હોય પણ ધર્મકુશળતા વિનાના વ્યવહારકુશળો હોય ત્યાં એમાંથી નવો જ ફણગો ફૂટે . એ એમાંથી કાંઈ જુદું જ “á તૃતીય' કાઢે. શાસ્ત્ર કહે છે કે એવા વ્યવહારકુશળો સાથે વાત કરવામાં પણ સ્વ-પરનું નુકસાન છે. એમની જીભ લાંબી હોય, બુદ્ધિ બીજાને ચકરાવે તેવી હોય, મન ચોવીસે કલાક અશાન્ત હોય, વાતમાં બહુ ડાહ્યા હોય; ડાહ્યાએવા કે ચાર આદમીનાં મગજ એ ડહોળે નહિ ત્યાં સુધી એમને જંપ ન વળે. પોતે કરેલી વાતનું પરિણામ શું આવશે તે એ ન વિચારે. પોતાની વાતથી કઈ વસ્તુને આઘાત પહોંચશે તે એ ન હોય. એ તો કહે કે-“તેલ જુઓ, તેલની ધાર જુઓ, આગળપાછળ અને આજુબાજુ બધું જુઓ અને પછી વિચારીને પગલું ભરો' આમ કહીને એવી વાત કરે કે કોઈ પગલું ભરે જ નહિ. આવું કહ્યા છતાં પાછા ઠસ્સાપૂર્વક કહે કે “અમે તો સાચાબોલા.” આવા સાચાબોલાનો આ શાસનમાં ખપ નથી. ધર્મશુદ્ધિવિના વ્યવહારશુદ્ધિ ન આવે?
પોતાનાથી ન થાય તો મૂંગો રહે પણ “આ મારાથી નહિ થાય' એમ જ્યાં ત્યાં બોલતો ફરે અને બીજા અનેકને એવું બોલતા કરે એ કેમ ચાલે ? આવું બોલે ને પાછો કહે કે “અમને દંભ ન આવડે.” એમ કહીને પેલા જે કોઈ કાંઈક કરતા હોય તેવા સાચા માણસોને દંભી ઠરાવવાનો પ્રયત્ન કરે. વળી કહે કે “અમારાથી ખોટી “હા” નહિ ભણાય.” પણ અહીં આ આગમો પાસે કોઈના પીરને પણ ‘હા’