________________
dialog
એ દિવસી
સિદ્ધહસ્ત લેખક - પૂ. આ. શ્રી. વિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ઝંઝાવાતના એ દિવસો હતા ! ઝંઝાવાત જાગ્યો હતો, એ જેટલા ખેદની વાત ન હતી, એટલા સખેદાશ્ચર્યની વાત તો એ હતી કે જૈન સંઘના સભ્યપણાનો દાવો કરતા કેટલાક જૈનોએ જ એ ઝંઝાવાત જગવ્યો હતો. જૈન સંઘના ઝાકઝમાળને ઝાંખો પાડવાની મેલી મુરાદ ધરાવતા એ ઝંઝાવાતનો ઝંડો, હાથમાં ઝાલીને ‘સુધારક જૈન'નો દાવો કરનારો વર્ગ ત્યારે કૂદાકૂદ કરી રહ્યો હતો. ચોરાશી બંદરના વાવટા તરીકેનું મહત્ત્વ ધરાવતા “મુંબઈના માથે તો એ ઝંઝાવાત વધુ જોર-શોરથી ગાજી રહ્યો હતો. એથી મુંબઈનો શ્રદ્ધાળુ-જૈન સંઘ એ ઝંઝાવાતને પડકારે એવી શક્તિ વ્યક્તિની દર્દભરી પ્રતીક્ષા કરી રહ્યો હતો.
ઝંઝાવાતનો એ કાળ એટલે જ વિ.સં. ૧૯૮૫-૧૯૮૬ની સાલનો એ સમય ! આજે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું નામસ્મરણ થતાંની સાથે જ એક અનોખી વ્યક્તિ શક્તિના પ્રભાવથી પ્રભાવિત જૈનજગતનું જે દર્શન થાય છે એ દર્શનનો ત્યારે ઉગમ કાળ હતો અને એ વ્યક્તિ શક્તિ પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજના નામ-કામ દ્વારા, ધીમે ધીમે સંઘ અને સમાજમાં વિશિષ્ટ સ્થાન-માન પામીને, સહુને મહત્ત્વનું ને મનનીય માર્ગદર્શન આપવાનું કાર્ય, કોઈનીય શેહ કે શરમમાં તણાયા વિના ખુમારીથી આગળ ધપાવી રહી હતી, શ્રી રામવિજયજી મહારાજના હુલામણા નામે વધાવાતી એ ખમીરી જ્યાં
જ્યાં જતી, ત્યાં ત્યાં જમાનાવાદના ઝંઝાવાત સામે એ નક્કર ટક્કર લેતી અને એથી સુધારકોની ભેદીચાલ જગ-જાહેર થઈ જતી.
સુધારકતાનો સ્વાંગ ધરાવતી એ કુધારકતાના કાળા પડદાને ચીરતાં ચીરતાં