________________
1285
- ૭ઃ જૈનજીવનનું મહત્ત્વ અને કર્તવ્ય: - 87 – શ્રી જિનેશ્વરદેવના સમયમાં ઊંચી કોટિના મહાપુરુષો પણ પડવાની ભાવનાવાળા થયા હતા, પડવાની સ્થિતિમાં પણ આવ્યા હતા, અને પડ્યા પણ હતા. તો આ જમાનામાં તેવું બને એમાં નવાઈ નથી. દેશકાળનો જો વિચાર કરીએ તો ધર્મ માટે કે નિયમ માટે આ દેશકાળ તો વધારે અનુકૂળ છે. શ્રી જિનેશ્વરદેવે વિરતિ માટે-દીક્ષા માટે યોગ્ય વય આઠ વર્ષની કહી છે અને સોળ વર્ષનાને માતાપિતાની સંમતિ માગવા છતાં ન મળે તો પણ લઈ શકાય છે એમ કહ્યું છે. ભગવાનની આ વાતને નહિ માનનારા પણ આ નિયમનો અમલ દુનિયાના પ્રસંગોમાં નજરે નિહાળે છે.
આ મોક્ષમાર્ગની દીક્ષા છે, જ્યારે દુનિયામાં અત્યારે દેશભક્તિ માટેની દીક્ષાની વાતો ચાલે છે. એવી દીક્ષા માટે સોળ વર્ષની વય પછી માતાપિતાની રજાની જરૂર નથી એવો કાયદો. ત્યાં પણ બહાર આવ્યો છે. એક યુવાન એ રીતે ગયો પણ છે. માબાપની દયા ખાવાની વાતો કરનારા અત્યારે ક્યાં સૂઈ ગયા છે ? આવી રીતે જનારનાં માબાપનું આગળપાછળ શું થશે ! એવું વિચારનારા ક્યાં ગયા ? યુવકસંઘવાળા ત્યાં કેમ કાંઈ બોલતા નથી ? ઊલટા
ત્યાં તો એને એ લોકો વધારે છે. વર્તમાન સમય તો એવો મજાનો છે કે દુનિયા પણ આ કાયદાની પડખે અડોઅડ ઊભી રહે છે. આ સમયે આ વસ્તુ તો અત્યંત સુયોગ્ય રીતે જાહેર કરી શકાય પણ શાસનપક્ષ એ તોફાની વર્ગ જેટલી પ્રવૃત્તિ કરતો નથી. સાચી વાતને સ્વીકાર્યા વિના કોઈનો છૂટકો જ નથી. પણ જેને કામ સાધવું નથી અને ગપ્પાં માર્યા કરવાં છે એને માટે કોઈ ઉપાય નથી.. આ દુનિયામાં બાળક પાંચ વરસનું થાય એટલે નિશાળે મુકાય છે. હવે રમકડાં પર અંકુશ આવે છે. બાળકને વહાલ કરનારી મા પોતાના લાડકા બાળકને રોવડાવીને પણ એના મોંમાંથી કોલસો, માટી વગેરે કાઢી લે છે. બાળકને કેદખાના જેવી લાગે છતાં પાંચ વરસનું થયું કે ઉપાડીને નિશાળે મૂકી આવે. સમજે છે કે ચાર દી' રોશે પણ પછી ટેવાઈ જશે. મોટો થાય કે તરત નોકરી ધંધામાં જોડે છે. સમજે છે કે નહિ જોડાય તો ખાશે શું ? અરે, નોકરી ધંધા માટે કે આગળ અભ્યાસ માટે પરદેશ પણ પ્રેમથી મોકલે છે. ટિકિટ પોતે લાવી આપે છે. ટ્રેન, સ્ટીમર કે વિમાનમાં પોતે બેસાડવા જાય છે. જો કે વિદાય વખતે આંખમાં આંસુ પણ લાવે છે, કારણ કે એ એક રૂઢિ છે. આંસુ તે વખતે લાવવાં પડે છે; બાકી મનમાં તો આનંદ હોય છે.
ઘરબાર-કુટુંબપરિવાર અને દેશ માટેની પ્રવૃત્તિ કરવામાં જો આ વય માટે વાંધો નથી તો પ્રભુમાર્ગે જવામાં હરકત શી ? કાયદો તો બધે સરખો લાગુ