SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦: મુક્તિ માટે જીવનનો સટ્ટો : - 80 ૭૧૧ એવો અભિગ્રહ કરનારા એ તો કહેતા કે ‘જીવવું છે કોને ?’ પણ એવાને મ૨વા પણ કોણ દે ? દેવતા તરત આવીને એને કહે કે-તારા જેવા મુક્તિ માટે જીવનના સર્ટી ખેલનારાને મરવાનું હોય ? જા, તારા બાગમાં રોજ છ ઋતુનાં ફૂલ થશે. દેવતાઓ આવાની પાસે તો તરત દોડી આવે છે. વળી દેવતાઓ આવીને એમને માગવાનું કહે તો એ માગતા પણ નથી. એ તો કહે છે કે-આવા વીતરાગદેવ, નિગ્રંથ ગુરુ અને દયામય ધર્મ મળી ગયો પછી હવે માગવાનું બાકી શું રહે છે કે માગીએ ? એમના આહા૨પાણીના ત્યાગના અભિગ્રહ વખતે દેવતા આવે, એવું નક્કી તો નહોતું ને ? 1181 દેવી કંટકેશ્વરી સામે પણ કેવો જીવનનો સટ્ટો ખેલ્યો છે ? ક્રોધાયમાન અને લાલપીળી થયેલી કંટકેશ્વરી ત્રિશૂળ લઈને આવે છે અને ત્રાડ પાડીને કુમારપાળને ભોગ આપવા કહે “છે. કુમા૨પાળના કપાળ સામે ત્રિશૂળ ધર્યું છે. તે વખતે પણ કુમારપાળ એને કહે છે કે-‘અહીં ભોગ નહિ મળે, અર્હત્ દેવ, હેમચંદ્રસૂરિજી જેવા ગુરુ અને યામય ધર્મ મળ્યા પછી ભોગની વાત જ શી ? આજ સુધી અજ્ઞાન હતો, હવે સમજ્યો છું. તું દેવી હો, માતા હો, કુળદેવી હો, તો મારા ધર્મમાં મને સહાય કર અધર્મના માર્ગે ન લઈ જા, દેવી મારી નાખવાની ધમકી આપે છે. પરંતુ મહારાજા અગ રહે છે. કપાળ સામે ત્રિશૂળ તોળાઈ રહ્યું હોય ત્યારે અડગ રહેનારા કેટલા ? અડગ રહે કોણ ? જીવનની પરવા ન હોય તે. મુક્તિ માટે જીવનનો સટ્ટો તે આ. દેવી કુમારપાળ મહારાજાને ત્રિશૂળ મારીને જતી રહી. એના યોગે કુમારપાળ મહારાજાને આખા શરી૨માં કોઢ વ્યાપી ગયો. અંગ બળવા લાગ્યાં, પણ એ ડગ્યા નહિ. એ તો કહે કે-પૂર્વના પાપોદયે બધું થાય પરંતુ પુણ્યવાન એવા, એમની શક્તિ પણ એવી અને એમને ગુરુ પણ એવા જ મળ્યા હતા. પરિણામે એ દેવીને પણ એમની દાસી થવું પડ્યું. હિંસક દેવી હિંસક મટી અહિંસક બની: અહિંસાધર્મની રક્ષક બની. જીવનનો ત્રીજો સો ગુરુને તાડપત્ર પૂરાં પાડવા માટે કર્યો. મહારાજાએ વિચાર્યું કે ‘ગુરુદેવ નવા નવા ગ્રંથો રચે અને હું પામર એ લખાવવા માટે તાડપત્ર પણ પૂરાં ન પાડી શકું ? આ તો કેવી ખેદની વાત ? જ્યાં સુધી તાડપત્ર પૂરાં ન પાડું ત્યાં સુધી અન્ન-પાણી બંધ ! અન્ન-પાણીનો ત્યાગ એ તો એમને મન ૨મત. એ સટ્ટામાં પણ ફાવ્યા. એમના ઉદ્યાનોમાં ઢગલાબંધ તાડપત્રો થઈ ગયાં. મુક્તિ માટે જીવનમાં સટ્ટા કરનારા ફાવે જ છે. અર્થકામના ઉપાસકો વનના સર્ટી ખેલે છે તે રીતે પ્રભુશાસનમાં મોક્ષમાર્ગની આરાધના માટે આ રીતે અનેક મહાપુરુષોએ જીવનના સટ્ટા ખેલ્યા છે. અને એમનાં જ પવિત્ર નામો આ શાસ્ત્રોને પાને લખાયાં છે.
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy