SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ 1121 – ૩૯ : સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ :- 76 - પપ૧ તેને તેને આપે એમ ? કોઈને ગૃહસ્થથી ઉપકાર થાય તો તે “નમો દિત્યાનું બોલે ? કોઈને પત્નીથી ઉપકાર થાય તો ? ઉપકારી ઉપકારી તરીકે મનાય પણ વસ્તુને વસ્તુ તરીકે સાચવીને. ઘણા કુમત આ રીતે ચાલ્યા છે. ઉપકારીની બહુ ભક્તિ કરવાનું મન થાય એમાં વાંધો નથી, જિનેશ્વર કરતાંયે વધુ સ્મરણ થઈ જાય છે એમ કહે ત્યાં સુધી વાંધો નથી પણ “આને જિનેશ્વર કેમ ન માનીએ ? એમ કહે ત્યાં વાંધો. આવી ભક્તિના પરિણામે તો શ્રી જિનેશ્વરદેવની આશાતના થવા માંડી. પોતે જેને માને તેના ફોટા વચ્ચે રાખે અને શ્રી જિનેશ્વરદેવના ફોટા આજુબાજુ રાખવા લાગ્યા. પછી એથી આગળ વધ્યા. પૂજા ભણાવતાં બોલે કે “આ જિનને પૂજીયે ભવિકા -તે એ પદ બોલતાં આંગળી વચલા ફોટા સામે જ કરે. આ ચાલે ? એના ઉપકારી ભલે હોય પણ તેથી એ જિન હોય ? આ ભાઈનો અમુક શેઠ છે પણ એનાથીયે કોઈ મોટો શેઠ આવે ને આ ભાઈ કહે કે ગાદી પર તો મારો શેઠ બેસે, પેલા મોટા શેઠને ન બેસવા દઉં, તો એ ચાલે ? મને ઉથલાવતાં રખે તમે ન ઊથલી પડો ! આલંબન ન માને તો ચોથું, પાંચમું, છઠ્ઠ ગુણસ્થાનક ન ટકે. શ્રી જિનમંદિર હોય ને સાધુ દર્શન કરવા ન જાય તો એને છઠ્ઠનું પ્રાયશ્ચિત્ત આવે. વિહાર કરતા હોય, વચ્ચે ગામ આવે, ભલે જવું આગળ હોય પણ એ વચ્ચેના ગામમાં જિનમંદિર હોય અને દર્શન કર્યા વિના જાય તો પ્રાયશ્ચિત્ત આવે. સભાઃ “સાધુને પ્રાયશ્ચિત્ત આવે અને શ્રાવકને નહિ ?' જિનપૂજન એ શ્રાવકની કરણી છે, એને પ્રાયશ્ચિત્ત કેમ ન લાગે ? ફરજ ન બજાવે એ ગુનો તો ખરો ને ? સભા: “સૂતક હોય તો ? સૂતકમાં દર્શન-પૂજન જ નહિ એમ કોણે કહ્યું ? એક વાત તો એ અને બીજી વાત એ કે દર્શન અને પૂજન કર્યા વિના ગમે તેવા સંયોગોમાં રહેવું નહિ અથવા તો એના વિના અન્નપાણી લેવું નહિ એવો નિયમ છે ? તો શાસ્ત્રકારે માર્ગ બધા રાખ્યા છે. જિનપૂજન, ગુરુવંદન અને વ્યાખ્યાન શ્રવણ એ શ્રાવકની કરણી છે, સમ્યગ્દષ્ટિની અવશ્ય કરણી છે; “એ ન થાય તોયે શું ?' એમ બોલાય ? સમ્યગ્દષ્ટિ આમ બોલે ? ન થાય તો પશ્ચાત્તાપ થાય, એને બદલે આજે તો કહે છે કે “ન થાય તોયે શું ? આજે તો આવું બોલાય છે, લખાય છે, વંચાય છે,
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy