________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
દેવચંદ્રજીને માનનારાઓએ એમને બા૨પૂર્વી સિદ્ધ કરવા પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાને ચૌદપૂર્વી લખ્યા. જો એમને ચૌદપૂર્વી ન લખે તો આમને બારપૂર્વી કોણ માને ? એમ ધારી ઉપાધ્યાયજીને ચૌદપૂર્વી લખી તો નાખ્યા પણ એમ લખનારને પૂછો કે ભગવાનના શાસનમાં ભગવાનના નિર્વાણ પછી પૂર્વનું જ્ઞાન રહ્યું ક્યાં સુધી ? ભગવાનના નિર્વાણથી હજાર વર્ષે પૂર્વનો વિચ્છેદ થયો છે, ત્યારે દેવચંદ્રજી મહારાજને તો હજી અઢીસો વર્ષ જ થયાં છે. પણ લખનારને એ ભાન હોય ? પૂ. ઉપાધ્યાયજી મહારાજ પણ જો આ વાત સાંભળે તો એવું લખનારને ગમાર કહે કે ‘ક્યાં ચૌદ પૂર્વધર અને ક્યાં હું ?’
• ૫૫૦
1120
પૂ. ઉપાધ્યાયજી મહારાજાના સમકાલીન પૂ. ઉ. શ્રીમાનવિજયજી મહારાજાએ લખ્યું કે ‘શાસ્ત્રમાં પૂર્વધરની વાત વાંચીએ છીએ પણ પૂર્વધર કેવા હોય એની ઝાંખી પૂ. ઉપાધ્યાયજી મહારાજા કરાવે છે.’ આમ એમણે કહ્યું, એ શાસનનું માર્ગાનુસારીપણું છે. વાત પ્રણ કહી અને મર્યાદા પણ સાચવી. શાસ્ત્રાનુસા૨ી વાત ક૨ના૨ સાપેક્ષ વર્ણન કરે જ્યારે ઉન્માર્ગગામીઓ નિરપેક્ષપણે કરે. તમે જેને માનો એનો પણ એ ખૂબ વખાણ કરે ત્યારે રાજી ન થવું, કેમ કે એમાં પણ હેતુ તમને ફસાવવાનો છે. તમે જેને માનો તેને એ જિનેશ્વરદેવ જેવા વખાણી નાખે તો સમજી લો કે એ તમારામાં કાંઈક ઝેર રેડવા માગે છે. તમે એમને કહી ઘો કે ‘અમે જેને માનીએ છીએ, એ જેવા છે તેવા વખાણો ત્યાં સુધી ઠીક પણ એને જિનેશ્વરદેવ કહી દો છો તો લાગે છે કે એની પાછળ કાંઈક બીજો જ હેતું છે.
ઉપકારીનો ઉપકાર પણ વિવેકપૂર્વક મનાય... :
કોઈ આદમી ઉપકારી ગુરુને બહુ ભક્તિથી પૂજે એમાં વાંધો નહિ, એનો આ શાસનમાં ઇન્કાર નથી. એને કેટલીક વખત એમ પણ થાય કે શ્રી જિનેશ્વરદેવ ઉપકારી પણ એ તો દૂર; મારા તો આ નજીકના ઉપકારી, તો ત્યાં પણ વાંધો નહિ પણ એ એમ કહી દે કે-‘આ જ જિનેશ્વર,’ તો ન ચાલે. એમ કહે તો સત્યાનાશ વળે.
શ્રી જિનેશ્વર કેટલા ? ચોવીસ જ. આ પચીસમા, એમ ન કહેવાય. કોઈને કોઈ ગૃહસ્થનો ઉપકાર હોય તો એને એ ઉપકા૨ી માને પણ એને કહેવાય તો શ્રાવક જ, સાધુ નહિ. નહિ તો નવકાર પણ ફેરવવા પડે. એ લોકો કહે છે કે ‘ઉપકારના કારણે અરિહંતને સિદ્ધપદની પહેલાં મૂક્યા એમ જેને જેનાથી ઉપકાર તે તેને પહેલા મૂકે એમાં વાંધો શો ?' તો પછી કોઈને આચાર્યથી ઉપકાર થાય, કોઈને ઉપાધ્યાયથી અને કોઈને સાધુથી થાય તો દરેક પહેલું પદ
+