SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ સૂત્રોના જાપ કલાકોના કલાકો કરે, અનેક ક્રિયાઓમાં લાગ્યા જ રહે છતાં એને વૈરાગ્ય કેમ ન થાય ? ન થાય તો એનું દુ:ખ પણ ન હોય ? મુનિના દર્શનથી એના રોમાંચ ખડાં કેમ ન થાય ? ૪૮૪ 1054 શાસ્ત્રસિદ્ધાંતની રક્ષાના સમયે મૌન રહેવું તે એક પાપ છેઃ પૂર્વે પરીક્ષકો હતા પણ એ આવા ન હતા. એ સમજી શકતા કે આ ઉગ્રતા કોના ઘરની છે ? બાપ દીકરાને શિક્ષા કરે ત્યારે કાળ જેવો લાગે પણ કોઈ એમ ન કહી શકે કે આ દુશ્મન મારે છે. જો કોઈ એમ કહે તો છોકરો જ તેને કહી દે કે-‘ચૂપ રહે, એ મારો બાપ છે.’ સભા ‘આજે એવા દીકરા ક્યાં છે ?’ એ પણ ન રહ્યા-કા૨ણ બાપે હાથ ચલાવ્યો પણ હેતુ સાચો,ન હતો. હેતુ ન પરખે તે પરીક્ષા ન કરી શકે. આ તો દશવૈકાલિકની એક ગાથા ગોખી રાખી કે‘ચોરને ચોર ન કહેવાય. કાણાને કાણો ન કહેવાય-એમ કહેવામાં મૃષાભાષણ છે અને ભાષાસમિતિનું ખંડન છે.’ એને પૂછો કે-ભાષાસમિતિના ભેદ કેટલા ? તો કહેશે-ભગવાન જાણે ! વારુ ! જે શાસ્ત્ર ચોરને ચોર કહેવાની ના પાડી તે જ શાસ્ત્ર મિથ્યાદ્દષ્ટિને મિથ્યાદ્દષ્ટિ કહ્યા કે નહિ ? કેમ કહ્યા ? તો કહે કે-‘હોય નહિ.' પાનાં બતાવો તોયે કહેશે કે-‘હું એ ન માનું.’ હવે આવા એ વિદ્વાનોને ન માલૂમ કોણે આવું ભૂત વળગાડ્યું. એક વાત ગોખી રાખી કે ‘કષાય કરે તે નરકે જાય.’ પણ એ વાત યાદ કરે ફક્ત મંદિર-ઉપાશ્રયમાં, પેઢી, ઘર, બજારમાં યાદ ન કરે. ત્યાં તો કષાય એવા કરે કે ન પૂછો વાત. ખાવામાં જરા ઓછાપ હોય તો થાળી પછાડે અને સ્ત્રીને સત્તર વચનો સંભળાવે. લોક પણ તમાશો જુએ-કલાકો સુધી દુર્ધ્યાન કરે. ત્યાં કષાયોનો કાંઈ ખ્યાલ જ નહિ અને અહીં મુનિ જરા કડક કહે તો કહી દે કે ‘કષાય કરે તે નરકે જાય’ ગ્રાહક સાથે વાંધો પડે તો મોટો ઝઘડો કરે, પૈસાની લેણદેણ માટે ત્રણ કોર્ટ સુધી જાય, ત્યાં કષાયના કટુ વિપાક યાદ ન આવે અને અહીં મુનિ કહે કે-‘શાસનના કામમાં કાંઈક કરવાની જરૂ૨ છે, આમ ઢીલા રહ્ય ન ચાલે.’ તો તરત કહે કે-મુનિ તપી ગયા-શાંતિ રાખવી જોઈએ. ક૨શે તે ભ૨શે-આપણે શું કામ તપવું જોઈએ. કષાય કરે તે નરકે જાય-વગેરે.’ આવાને સમ્યગ્દષ્ટિ મનાય ? ઘરબાર, બજાર, પેઢી માટે કષાય કરનારા શાસનરક્ષાના પ્રસંગે સમતાના પાઠ ભણાવે એ અજ્ઞાન નથી ?’ ઘર સળગ્યું' એમ સાંભળે તો દોડી જનારને કોઈ કહે કે-‘ભાઈ ! શાસ્ત્ર કહ્યું છે કે ઘર તો પારકું છે, નાશવંત
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy