SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત – 70 ૪૫૩ જવાય.’ માંદગી, મરણ, મુસાફરી એ બધું રાજીપા વિના થાય અને દીક્ષામાં એવો તે શો ગુનો છે કે એ રાજીપા વિના લેવાય જ નહિ ? જેનો મોહ છૂટ્યો એ જાય ત્યારે મોહાંધો તો રડે પણ તેથી મોહથી છૂટનારે શું પાછી મોહની ખરીદી કરવી ? સગો દીકરો દીક્ષા લે ત્યારે કદી મોહની થપ્પડ વાગે પણ સમ્યગ્દષ્ટિ બાપ ‘અમને રોવરાવીને ન જવાય એમ કહેવાની મૂર્ખાઈ તો ન જ કરે. ‘અમને મોહ નડે છે પણ માર્ગ તો એ જ સાચો છે' એમ જ કહે. પૂર્વનાં દૃષ્ટાંતો જોશો તો બધાએ એ જ કહ્યું છે. 1023 અમને વૈરાગ્ય નહિ અને તને કેમ ? જંબુસ્વામીનાં માતા-પિતાને એ એકનો એક દીકરો હતો અને મિલકતમાં નવાણું ક્રોડ સોનૈયા નગદ તિજોરીમાં પડ્યા હતા. તમારી પાસે લાખ બે લાખ હોય તોયે એ કાગળિયામાં, નગદ તો શોધવા પડે. એવા જંબુસ્વામીએ વૈરાગ્ય થવાનું જણાવ્યું ત્યારે માતાપિતાએ એ જ કહ્યું કે-‘પુણ્યવાન તું કે તને વૈરાગ્ય થયો, અમને હજીયે ન થયો.' આજે તો સવાલ ઉઠાવે કે-‘માબાપને વૈરાગ્ય ન થાય ને દીકરાને થાય ?' એમને પૂછો કે-મહાવીર ભગવાનનાં માતા-પિતા મુક્તિમાં ન ગયા અને ભગવાન પોતે કેમ ગયા ? માતાપિતા તીર્થંકર કેમ ? ઇંદ્રભૂતિજીનાં માતાપિતા ઘોરં મિથ્યાદ્દષ્ટિ અને એ પોતે શાસનના ગણધર કેમ ? આ તો કહે છે કે ‘અમે ઘણા મુનિઓનાં પાસાં સેવ્યાં તોયે અમને વૈરાગ્ય ન થયો અને આ છોકરાંને ઘડીકમાં ક્યાંથી થઈ ગયો ?' એને કહેવું પડે કે તું કમનશીબ કે વર્ષોથી મુનિઓનાં પાસાં સેવવા છતાં વૈરાગ્ય ન આવ્યો. અને આ બાળક પુણ્યશાળી કે એને દર્શન માત્રથી વૈરાગ્ય આવ્યો. દર્શન માત્રથી વૈરાગ્ય આવે કે નહિ ? ઇલાયચીકુમારનું દૃષ્ટાંત વિચારો. ઇલાયચીકુમાર નટડીના મોહમાં પડી કુળમર્યાદા, આબરૂ, પ્રતિષ્ઠા મૂકી નટ બન્યો છે અને વાંસ ઉપર ચડી નૃત્ય કરે છે. આ વાત બહુ પ્રસિદ્ધ છે. સામે કોઈ શેઠિયાની હવેલીના આંગણામાં એક સ્ત્રી મુનિને વહોરાવી રહી છે ત્યાં એની નજર પડી. સ્ત્રી પદ્મિની છે. એના અંગમાંથી કમળની સુવાસ પ્રસરે છે. એના હાથમાં કેસરીઆ મોદકનો થાળ છે. મુનિને ભક્તિથી ‘લ્યો, લ્યો’ કરે છે. મુનિ લેતા નથી અને સામે જોતા પણ નથી. એ દૃશ્ય જોઈને ઇલાયચીકુમા૨ની વિચારધારાં પલટાઈ અને શુભ ધ્યાનમાં કેવળજ્ઞાન થયું. મુનિની પાસે તો શ્રાવિકા હતી. વળી તે મુનિની ભક્તિ કરતી હતી છતાં એને કેવળજ્ઞાન ન થયું અને ઇલાયચીકુમારને થયું. કારણ ? મુનિને જોઈને ભાવના ઇલાયચીકુમા૨ને
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy