________________
૪૩૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એવા, આવાં તમારા વખાણ કરે તો કહેવું પડે કે એ સાધુ શ્રી જૈનશાસનની મર્યાદાને સમજ્યો જ નથી.
1004
એને તો એમ કહેવાય કે-“મહાનુભાવ ! આ ગાડી, મોટ૨, વગેરે પૂર્વના પુણ્યથી મળ્યાં છે. પણ એમાં ફસાયો તો પાછા ‘ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા' જેવી હાલત થવાની.” એવો કોઈ સાધુને એમ કહે કે-“સાહેબ, અમે પામર છીએ. એ રીતે ટેવાયા છીએ' તો સાધુ એ સાંભળે અને એ ટેવ સુધારવાનું કહે, પણ એ ટેવનાં વખાણ તો ન જ કરે. ‘આ રીતે ગાંડીમાં આવો છો એ ખોટું કરો છો અને હારી જવાના' એમ કહેવાનો આશય નથી. પણ એમાં લેપાયા તો હારી જવાના એ વાત નક્કી છે અને ગાડી વિના આવવું એ વાત ઉત્તમ છે એ નિ:સંશય છે.
સભા એમાં પ્રભાવના નહિ ? ઠાઠમાઠમાં તો પ્રભાવના છે !'
રાજા પટ્ટહસ્તિ પર બેસીને આવે એ પ્રભાવનામાં અને વાજાં ગાજાં સાથે ખુલ્લા પગે ચાલીને મંદિરે આવે એ પ્રભાવનામાં કઈ પ્રભાવના ઉત્તમ ? કુમારપાળ મહારાજાએ છ'રી પાળીને સંઘ કાઢ્યો ને ? કોટ્યાધિપતિ શ્રીમાન મોટ૨ ગાડીમાં બેસીને મંદિર ઉપાશ્રયે આવે અને પગે ચાલીને આવે એ બેમાં એની પ્રશંસા શાથી વધારે થાય ? અહીં ઘણી મોટર ગાડીઓ જોઈને લોકોને થાય કે ‘વાહ, ધન્ય છે કે આવા આવા લોકો પણ અહીં લાભ લેવા આવે છે.’ અને પગે ચાલીને આવતા ઋદ્ધિમાનને જુએ તો લોકો કહે કે જેના ઘેર હાથી, ઘોડા, મોટ૨ વગેરે પુષ્કળ સામગ્રી હોવા છતાં કેવા ધર્મી છે, કે પગે ચાલીને આવે છે.’ ક્રોડપતિ ચાલીને આવે એમાં શાસનની વિશેષ પ્રભાવના ખરી કે નહિ ?
સભા ‘પગે ચાલીને આવે તેમાં ઘણી પ્રભાવના, પણ પેલામાં થોડી તો ખરી ને ’
એનો ક્યાં ઇનકાર છે ?
સભા ‘પ્રભાવના માટે ઠાઠમાઠથી આવવું જોઈએ ને ?’
જરૂર ! પણ તે ધામધૂમથી, વાજાંગાજાં સાથે, માર્ગમાં દાન દેતો દેતો, સોનૈયા ઉછાળતો આવે, તો એ ઓછો ઠાઠમાઠ છે ? હાથી ઉપર કે વાહનમાં બેસીને આવે તો જ ઠાઠમાઠ કહેવાય એવો કાયદો નથી.
સભા : ‘મુંબઈ જેવા શહેરમાં એ કેમ બને ?'
કેમ ન બને ? મુંબઈ જેવા શહે૨માં એવા ધર્મીને ચાલવા માટે કાંઈ