SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ : સાવધ રહેવાની જરૂર - 69 દુનિયાની સાધના ન થાય તો આજે ઘણાંને દુઃખ થાય છે પણ વાસ્તવિક પૂજા, સામાયિકાદિ ન થયું હોય તો દુ:ખ ગણ્યાગાંઠ્યાને જ થાય છે. આ મહાત્મા ફરમાવે છે એ વિચારણામાં ચડનાર સમ્યગ્દષ્ટિ આત્માને દુનિયાની સાધના મુશ્કેલ લાગે છે. એને ઘરબાર, કુટુંબપરિવાર દુઃખરૂપ લાગે છે. એને ધર્મક્રિયા સહેલી લાગે છે. ધૂનનની વાતમાં આપણે જોઈ ગયા હતા કે શાસ્ત્રકારે સૌથી પહેલું અને સહેલું ધૂનન સ્વજનધૂનન કહ્યું. બહારની આળપંપાળ અને ઘરબાર કુટુંબપરિવારના ધૂનનને સહેલું કહ્યું. સમ્યગ્દષ્ટિ આત્માને મુક્તિનાં પ્રતિબંધક સાધનો ખટકે અને મુક્તિનાં સાધક સાધનો ગમે. મુક્તિની સાધના ન થાય ત્યાં એને દુ:ખ થાય. એને મુક્તિની સાધના સહેલી લાગે અને દુનિયામાં રહેવું કઠિન લાગે. જૈનશાસનની ત્યાગભાવના સમ્યગ્દષ્ટિ આત્મા મુક્તિનો રસિયો છે માટે એને દુનિયાના સંયોગ છોડવા સહેલા લાગે છે, કેમકે એ સમજે છે કે સંયોગ જ ભયંકર છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે 995 ૪૨૫ संजोगभूला 'जीवेण पत्ता दुःखपरंपरा ।। સંયોગથી જ જીવો દુઃખની પરંપરા પ્રામે છે. માટે જ સંયોગમાત્ર એને તજવા યોગ્ય લાગે છે, એ તજવા યોગ્ય લાગવા એમાં દીક્ષાની વાત છે ? ઘણા કહે છે કે મહારાજ તો રોજ દીક્ષાની જ વાત કરે છે, પણ આ તો સમ્યગ્દર્શનની જ વાત છે ને ? પણ એમાંય ત્યાગની વાત તો આવે જ. શાસ્ત્રકાર કહે છે કે-આ શાસનમાં કોઈ વસ્તુ એવી નથી કે જેમાં ત્યાગનો સમાવેશ થતો ન હોય. ત્યાગને જરા બાજુ પર મૂકો તો એ જ અનુષ્ઠાનનો, એ જ ક્રિયાઓ ધર્મરૂપ મટી બધી પાપરૂપ બની જાય. ઇતરનાં ધર્માનુષ્ઠાનોમાં અને આ શાસનનાં ધર્માનુષ્ઠાનોમાં આ ભેદ છે; અહીં આ વિશિષ્ટતા છે. આ વિશિષ્ટતા બાજુ પર રખાય તો વસ્તુનું પરિવર્તન થઈ જાય. સમ્યગ્દષ્ટિને દુઃખ શાનું ? સમ્યગ્દષ્ટિ આત્મા પોતાના અનુષ્ઠાનથી સાધ્યની સમ્યક્ પ્રકારે સિદ્ધિ ન થાય તો દુ:ખ પામે. કહ્યું છે કે उपादेयविशेषस्य, न यत् सम्यक्प्रसाधनम् । दुनोति चेतोऽनुष्ठानं, तद्भावप्रतिबन्धतः ।। १६ ।।
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy