SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ 6:5 ૪૧૫ - ૨૮ : અદાલતના આંગણે – 68 – દીક્ષિતના કુટુંબની દયા ન ખાઓ ! સંઘ એને વધાવવા તૈયાર છે? આજે વિધવાને પૂરું ખાવા નથી મળતું, એનાં સાસુ-સસરા એને પૂરું ખાવા પણ નથી આપતાં, ત્યાં શું કર્યું ? છતે પતિએ ત્રાસ સહન કરનારી પત્નીઓ માટે શું કર્યું ? છતે ધણીએ અને છતી ધણિયાણીએ વ્યભિચારી બનનાર માટે શું કર્યું ? છતે બાપે છોકરાં દૂધ વિના ટળવળે છે ત્યાં શું કર્યું ? છતા દીકરાએ અને છતી વહુએ ડોસા-ડોસીને ચૂલા આગળ બેસી ધુમાડો ખાવો પડે છે ત્યાં શું કર્યું ? આ બધા માટે જરા પણ ફીકર નહિ રાખનારા એ પરોપકારીઓ રખે કોઈ બે-પાંચ જણાએ દીક્ષા લીધી ત્યાં તો આગળ આવી પોકાર ઉઠાવશે કે-“એની સ્ત્રીનું શું ? એનાં બાળબચ્ચાંનું શું ? એનાં માબાપનું કોણ ?” અરે ભાઈ તું મફતિયો એની ચિંતા શા માટે કરે છે ? એની ચિંતા રાખનારો તારો બાપ સંઘ બહુ મોટો બેઠો છે. કોઈ દીક્ષિતના કુટુંબને તો સંઘ પુષ્પોથી વધાવવા તૈયાર છે, દીક્ષિતના કુટુંબની ભક્તિ કરવાથી તો સંઘ પોતાને કૃતાર્થ માને છે. એ ભક્તિમાં પોતાની લક્ષ્મી ક્યારે સાર્થક બને એ માટે તો સંઘ સદાયે સુંદર મનોરથો સેવે છે. એ લોકોને મારે કહેવું છે કે-તમે દીક્ષિતના કુટુંબીઓની દયા ન ખાઓ પણ તમારા પોતાની દયા ખાઓ. ભણેલા કેટલાય પાસે આજે પાટલૂનના પણ પૈસા નથી અને ખુરશી ટેબલના ખર્ચા જેટલી પણ આવક નથી. અમને કોર્ટમાં ખેંચી ગયા ત્યાં અમને આ બધું નજરે જોવા મળ્યું છે. વકીલાતની ડીગ્રીઓ ધરાવનારાને મેં રૂપિયાની નોટિસ લખાવવા માટે અસીલોની દાઢીમાં હાથ નાંખતા જોયા..બે તો બે, પણ લાવ, એ મળશે તો કાલે પાટલૂન ધોવા અપાશે. મને તો એ જોઈને થયું કે-“અરે ! આ આર્યદેશમાં આવો પાક પાક્યો ક્યાંથી ? ભૂખે તો એ મરે છે કે દીક્ષિતના કુટુંબીઓ ?' શાસનની ભક્તિ માટે : આજે દેશ તરફ નજર કરો. ત્યાં કઈ બૂમરાણ સંભળાય છે ? કહે છે કે“દેશ માટે ઝંપલાવો ! જાનની પણ પરવા ન કરો ! ઘરબાર, માબાપ, કુટુંબપરિવાર બધાને મૂકીને આવો ! સ્ત્રી પરથી પ્રેમ ઉતારીને આવો !” ત્યાં આ પ્રમાણે એલાન કરે છે. એને પૂછો કે, પછી માબાપ ભૂખે મરશે, કુટુંબ રઝળશે, પત્ની, બાળકો રડવા બેસશે, એ બધાંનું શું ? કેટલાય સારા સારા માણસો જેલમાં ગયા. એનાં બૈરાં-છોકરાં અને કુટુંબીઓ ચોધાર આંસુએ રડી રહ્યાં છે. ત્યાં તો કહે છે કે “એ તો બધું દેશભક્તિ માટે છે.” તો હું કહું છું કે
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy