________________
૨૮ : અદાલતના આંગણે - 68
પ્રપંચનો આશ્રય લઈ રહ્યા છે. આગમ આધું મૂકીને શ્રી જૈનશાસનમાં એક પણ સુધારો થયો નથી, થતો નથી. અને થશે પણ નહિ. આગમે જે વસ્તુને જે સ્વરૂપે જોઈ તે સ્વરૂપે જોનારા આજે ક્યાં છે ? ઉદય તથા ઉન્નતિને આગમ જાણે કે તમે ? ઉદય તથા ઉન્નતિના રસ્તા આગમે ચીંધ્યા કે તમે ? ભણીને બોલવા ઊભો થયો ક્યાંથી ? શોધ્યું અને મેળવ્યું આગમમાંથી અને હવે બોલવું ફાવતું, એ ચાલે ? મનફાવતું લેવાથી જ લાભને બદલે હાનિ કરી. આજના એ લોકો સાધુઓને પૂછે કે-આજના સાધુઓ આકાશમાં વિચરે છે કે પૃથ્વી ઉપર ? એ પૂછનારામાં જોવાની શક્તિ હોય તો જોઈ શકે છે કે સાધુઓ આકાશમાં નહિ પણ પૃથ્વી પર જ વિચરે છે. અરે ! અમારા શ્રી જિનેશ્વરદેવો પણ ભૂમિ ઉ૫૨ જ વિચરતા હતા.
981
૪૧૧
શ્રી જિનેશ્વરદેવો પાસે આકાશગામિની લબ્ધિ હોય તો પણ એ ચાલતા ભૂમિ ૫૨ જ. એ તારકો લબ્ધિનો ઉપયોગ કદી કરતા નથી. છદ્મસ્થ મુનિઓ શાસનના લાભ માટે ક્વચિત્ લબ્ધિનો ઉપયોગ કરે પણ દુનિયાની સાધના માટે તો ન જ કરે. નિષ્કારણ લબ્ધિનો ઉપયોગ કરવાની આ શાસનમાં મના છે. દુનિયાની સાધના માટે લબ્ધિનો ઉપયોગ કરવાની આ શાસનમાં મના છે. દુનિયાની સાધના માટે લબ્ધિનો ઉપયોગ કરે તો એ લબ્ધિઓ કદી ટકતી નથી.
મુનિસંઘ પર આપત્તિ આવી ત્યારે વિષ્ણુકુમારમુનિએ પણ લબ્ધિનો ઉપયોગ કર્યો હતો. પણ આ બધું ક્વચિત્. જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓ લબ્ધિનો ઉપયોગ કરે છે, પણ એ તીર્થયાત્રા માટે જ. ચારણમુનિઓ લાભ દેખે ત્યાં આ લબ્ધિના બળે જાય પણ તે ક્વચિત્. નિયમ છે કે લબ્ધિનો ઉપયોગ પ્રમત્તાવસ્થામાં જ થાય. લબ્ધિના ઉપયોગ વખતે અપ્રમત્તાવસ્થા રહે જ નહિ. સાતમા ગુણઠાણે લબ્ધિના ઉપયોગનાં દ્વાર બંધ થાય છે. છઠ્ઠ ગુણઠાણે જ એનો ઉપયોગ છે.
સભા : ગોશાળા પર શીતલેશ્યા ભગવાને મૂકી ત્યારે ગુણાસ્થાનક કર્યું ?’
છઠ્ઠું. શ્રી જિનેશ્વરદેવોનું ચરિત્ર છદ્મસ્થકાળમાં પણ ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત કહ્યું છે. એટલે એ છઠ્ઠું ગુણઠાણું પણ અતિ ઉચ્ચ કક્ષાનું હોય છે. એ તારકોની છદ્મસ્થકાળમાં પણ અપ્રમત્તાવસ્થા ખરી પણ એ છઠ્ઠા ગુણઠાણાની. સાતમા ગુણસ્થાનકનો કાળ તો ક્રોડ પૂર્વના આયુષ્યમાં પણ દીક્ષા લીધા પછીના આખા જીવનનો ભેગો કરો તો પણ અંતર્મુહૂર્તનો છે, કે જેમાં છેલ્લે ક્ષપકશ્રેણીના યોગે કેવળજ્ઞાન થતા વખતનો સાતમાનો કાળ પણ આવી જાય છે. એક મતે તો છઠ્ઠું પણ એકસાથે અંતર્મુહૂર્ત જ વધુમાં વધુ રહે. જાય આવે તે