SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ : અદાલતના આંગણે - 68 ૪૦૫ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજાના શબ્દો આપણે વિચારી રહ્યા છીએ. 975 એ પરમર્ષિ ફરમાવે છે કે-‘સમ્યગ્દષ્ટિ આત્મા સંસારસાગરમાં ૨મે નહિ. જેમ નેત્રના રોગ વિનાનો વસ્તુના વાસ્તવિક સ્વરૂપને જોઈ શકે છે, તેમ જેનો મિથ્યાત્વરૂપી રોગ ગયો છે તે આત્મા સંસાર જેવો છે તેવો જોઈ શકે છે. તેમ જેનો મિથ્યાત્વરૂપી રોગ ગયો છે તે આત્મા સંસાર જેવો છે તેવો જોઈ શકે છે. સંસારને યથાર્થ સ્વરૂપે જોવાથી એ આત્માને સંવેગ પેદા થાય છે. સંવેગની પ્રાપ્તિ થવાથી એ પ્રશાંત બને છે. પ્રશાંત બનેલો આત્મા બહિર્મુખ મટી અંતર્મુખ થાય છે. દુનિયાના પદાર્થો અત્યાર સુધી આત્માને મૂંઝવતા હતા તે હવે સંવેગ થયા બાદ મૂંઝવતા બંધ થાય છે.’ જે આત્મા સંસારના સુખને સુખ માને તે તેનાથી છૂટી શકતો નથી. એટલે સંવેગથી નવો ફાયદો તો એ થાય છે કે-સંવેગ સંસારના સુખને પણ દુ:ખ મનાવે છે. દુઃખથી છૂટવાના તો સૌના એકસરખા પ્રયત્નો છે. ભયથી, દુનિયાની અનેક ધમાધમથી, જાતજાતના ક્લેશથી છૂટવા તૌ સૌ ઇચ્છે છે પણ રાજરિદ્ધિ, ઘર-બાર, કુટુંબ-પરિવારથી છૂટવા કોણ ઇચ્છે છે ? એ સંવેગ પામેલો હોય તે જ ઇચ્છે છે. સંવેગથી જીવનમાં મોટું પરિવર્તન આવે છે. સુખથી છૂટવા કોણ ઇચ્છે ? બીમારી તથા ધંધામાં ખોટને તો બધા દુઃખરૂપ કહે છે પણ ઘરબાર, કુટુંબપરિવારને દુઃખરૂપ કોણ કહે ? જેને સંવેગ થયો હોય તે. દુન્યવી વસ્તુઓ અસાર લાગ્યા વિના સંસારની મનોકામના પાછી હઠે નહિ. અને એ હઠે નહિ ત્યાં સુધી આ સાધુપણું ગમે ? મળેલું છોડી દેવું અને પછી જે નિર્દોષ મળે તેના ૫૨ જીવન ગુજારવું ગમે ? દાન, શીલ, તપ અને ભાવ એ દરેકમાં વાત તો છોડવાની છે કે બીજી કોઈ ? સમ્યગ્દષ્ટિપણામાંયે છોડવાનું, શ્રાવકપણામાંયે છોડવાનું અને સાધુપણામાંયે છોડવાનું છે. દુનિયાનાં દુ:ખોથી તો છૂટવા સૌ ઇચ્છે પણ સુખથી છૂટવા કોણ ઇચ્છે ? જે સમ્યગ્દષ્ટિ હોય તે જ. સભા કહ્યું છે કે, यो ध्रुवाणि परित्यज्य, अध्रुवं परिसेवते । ध्रुवाणि तस्य नश्यन्ति, अध्रुवं नष्टमेव च ।। ' તો...નીતિકારની આ વાત કેવી રીતે ઘટશે ? શું તમારા બંગલા-બગીચા ધ્રુવ છે ? તમે આ શ્લોકને યાદ રાખ્યો પણ
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy