________________
૨૮૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
વીતરાગ ભાવના ક્યાં ? એ મૂળનું ઠેકાણું ન હોય તો મુક્તિ મળે ? મોટેથી સ્તવનો બોલે, જોરદાર વિનંતીઓ કરે પણ પૂછો કે મન વીતરાગમય બન્યું ? તો જવાબ શો આવે ? સ્તવનમાં ગયા કે ‘મારે તું એક ધણી' પણ ધણી રાખ્યા છે ઘણા એનું શું ? ‘મારે તું એક ધણી’ એમ બોલતી વખતે પણ હૈયામાં શેઠ નારાજ થવાની ચિંતા ચાલુ હોય તો એ અવસ્થા કેવી કહેવાય ?
854
હવે બરાબર વિચારો કે વીતરાગતામાં પૂરી લીનતા ન આવે ત્યાં સુધી એને આ સ્તવનાદિ બોલવાનો અને પ્રભુભક્તિની ક્રિયા કરવાનો અધિકાંર ખરો
કે નહિ ?
શાસ્ત્ર કહે છે કે રોજ ક્રિયા કરો ! એ પૂજા, એ સાથિયા, એ વિનંતિ, એ સ્તવના, એ ભક્તિ રોજ કરો, એ ગુણગાન રોજ ગાઓ, એ પોતાની ખામી રોજ પ્રગટ કરો ! એમ રોજ કરતાં કરતાં કોક દિવસ એર્વો આવશે કે જ્યારે ટકો લાગી જશે. ફક્ત હૈયામાં એ ભાવોને પ્રગટાવવાની ભાવના જોઈએ, વૈરાગ્યની વાતમાં પણ એમ જ સમજો.’ત્યાં ચેડાં ન કાઢો ! પૂરો વૈરાગ્ય આવે ત્યારે જ નીકળાય એ કદાગ્રહના પરિણામે તો રાગ ઘ૨ ક૨શે અને વૈરાગ્ય
ક્યાંય હવામાં ઊડી જશે.
કોઈ પણ પ્રકારે આવેલો વૈરાગ્ય જો તે સાચો હોય તો ઉપકાર છેઃ
ફળ પેદા થવાની શક્તિ મૂળમાં છે. મૂળ ક્યાં હોય ? જમીનમાં. કોઈ પૂછે કે મૂળ બતાવ ! તો શી રીતે બતાવાય ?
ન્યાયા૦ : ‘મૂળ ખોદીને બતાવે તો ફળ ગયું !'
હું એ જ કહેવા માગું છું. મૂળ ખોદીને ન બતાવાય. અંકુર પ્રગટે એટલે કહેવાય કે મૂળ હતું. મૂળ ન હોત તો અંકુર ક્યાંથી પેદા થાત ? નાના બાળકને સંસાર છોડવાની ભાવના થાય ત્યાં શાસ્ત્રકાર કહે છે કે મૂળ હતું માટે એ અંકુર પેદા થયો, અંકુરો ફૂટ્યો-પછી તો વાડ કરવી પડે, ક્યારો કરવો પડે, જળસિંચન કરવું પડે, તો એ વધે અને ફળ આવે પણ અંકુર તોડીએ તો ? અંકુરને માટી લાગે તો ? ફળ કદી ન આવે. એવી જ રીતે વૈરાગ્યરૂપ અંકુરને જૈન સમાજે ખીલવવા જોઈએ. એને માટી ન લાગે તેવી કાળજી રાખી નિરંતર જળસિંચન કરવું જોઈએ. જૈન સમાજની એ ફ૨જ છે. એ ફરજ અદા કરનારા જૈન છે, જૈન સંઘ છે, જૈન સંઘમાં છે; અન્યથા નથી.
શરૂઆતના વૈરાગ્યમાં મૂળ જોવાની માગણી ન થાય, આજે તો પૂછે છે કે‘મૂર્ખ ! ક્યાંથી વૈરાગ્ય થયો ?’ આમ કહીને એની પરીક્ષા લેવા માંડે. હું પૂછું છું