________________
૨૭૬ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ -
46 હોય ? ધાર્મિક ક્રિયા માટે ફુરસદ નથી એમ ગૃહસ્થ કહે ? ફુરસદ મજૂરને ન હોય કે ગૃહસ્થને ? સંસારની અસારતાની ભાવના વધશે તો જ ગૃહસ્થ ગૃહસ્થ બની શકશે, નહીં તો કદી નહીં બની શકે. જૈનશાસનમાં કૃપણ નભે પણ લક્ષ્મી સારી માનનાર નહિ નભે. સંસારમાં રહેવું પડ્યું છે માટે રહ્યો છું એમ કહેનાર આ શાસનમાં નભે પણ “રહેવું જોઈએ” એમ કહે એ ન નભે-રહેવામાં હરકત શી ? એમ કહેનાર ન નભે. ચાર આશ્રમમાં ગૃહસ્થાશ્રમ કોને માટે ?
ન્યાયા: “ન તજી શકે તેને સંસારમાં રહેવાનું કહી શકો ?
-ના. એમ કહું કે સંસાર તજવા જેવો છે. પહેલો માર્ગ એ છે. પણ ન તજાય તો ત્યાં આ રીતે વર્તાય-ભાવના તજવાની જ રખાય, પ્રયત્નો તેવા જ કરાય અને તેને અનુસરતી આવી આવી ક્રિયાઓ કરાય. .
ન્યાયા: ‘વાનપ્રસ્થાશ્રમે રહી શકે ને?ગૃહસ્થ ગુરુ હોઈ શકે ને ?'
-ગૃહસ્થ ગુરુની મર્યાદા બાંધવી પડશે. ગૃહસ્થાશ્રમના ભોગવટાના પરિણામે વાનપ્રસ્થાશ્રમ આવે એવી તમારી માન્યતા છે ? ગૃહસ્થાશ્રમનો ભોગવટો એ વાનપ્રસ્થાશ્રમનું કારણ છે કે ગૃહસ્થાશ્રમને પાપરૂપ માનવો એ વાનપ્રસ્થાશ્રમનું કારણ છે ?
ન્યાયાઃ “યોગ્ય રીતે ગૃહસ્થાશ્રમ ભોગવાય તો ?” -એટલે શું કહેવા માગો છો ? ન્યાયo: ‘પૂર્વના સંચિતના ભોગવટા માટે રહે તો ?' - એ સ્થિતિ ફરી ગઈ. પૂર્વનાં સંચિત પોતાને સંસારથી ખસવા દેતાં ન હતો માટે સંસારમાં રહ્યો, એમ કહેવા માગો છો ને ?
ન્યાયાવ: “હા.”
- તો તો ત્યાં પૂર્વના સંચિતની આધીનતા થઈ. એ આધીનતા ન હોત તો તો એ ગૃહસ્થાશ્રમ ન ભોગવત ને ?
(અહીં ન્યાયાધીશે એક દષ્ટાંત જણાવ્યું જેમાં સંન્યાસ લેનારને કોઈ મહાત્માએ થોભી જવા જણાવ્યું હોય એવું જૈનેતર દર્શનનું દૃષ્ટાંત હતું.)
-એ મહાત્મા પેલાની ભાવિ સ્થિતિ કળી શકતા હશે. સર્વજ્ઞ કે વિશિષ્ટ જ્ઞાની હોય એ બધું જાણી શકે અને એના જ્ઞાનમાં સામાના ઉપકારમાં જેવું દેખાય તેવું એ સામાના ભલા માટે કહી શકે. પણ જો એ નિયમ બધા માટે હોય