________________
૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા સુદ-૧૪, બુધવાર, તા. ૧૨-૨-૧૯૩૦
♦ ઓળખ્યા વિના અનુમોદના થાય પણ પ્રશંસા ન થાય :
૦ ગુણનો ઉપયોગ મોક્ષ માટે થાય, પણ સંસાર માટે ન થાય :
• સમ્યગ્દષ્ટિને સંસારમાં રહેવું પડે તો નિર્લેપભાવે રહે :
♦ પ્રશ્નાવલિ એક ન્યાયાધીશની :
♦ નિર્વાણનો પ્રધાનમાર્ગ, ત્યાગ :
♦ અધૂરા વાંચન-શ્રવણનો પ્રતાપ :
♦ કયો ધર્મ મુક્તિ આપે ?
♦ ધર્મ માટે સંસારનો ભોગ કે સંસાર માટે ધર્મનો ભોગ ?
♦ સાધુ શરીરના નહિ, પણ આત્માના લાભની વાત કરે :
·
ચાર આશ્રમમાં ગૃહસ્થાશ્રમ કોને માટે ?
સમ્યગ્દર્શન એટલે જ સાચો વિવેક :
નબળા વૈરાગ્યને સબળો બનાવાય, પણ તોડી નખાય નહીં : બાલ્યવયમાં પણ વૈરાગ્ય :
૦ વૈરાગ્ય ભાવ ન આવે તો તે લાવવા માટે પણ ધર્મક્રિયા ખૂબ કરો ! ♦ કોઈ પણ પ્રકારે આવેલો વૈરાગ્ય, જો તે સાચો હોય તો ઉપકારક છે :
નવો વૈરાગ્ય નાના બાળક જેવો છે, એને પંપાળાય પણ કરમાવાય નહિ : ૭૦ વૈરાગ્યના પરીક્ષકની દાનત કેવી હોવી જોઈએ ?
• બાળમુનિ અતિમુક્તકનો વૈરાગ્ય :
વૈરાગ્યની ટીકા-ટીપ્પણ ન કરો !
60
ઓળખ્યા વિના અનુમોદના થાય પણ પ્રશંસા ન થાય :
અનંત ઉપકારી સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રીસંઘની સ્તુતિ કરતાં એની મેરિંગિંર સાથે સરખામણી કરે છે. મેરૂની પીઠ જેમ વજ્રરત્નમય હોય, દૃઢ-રૂઢ-ગાઢ અને અવગાઢ હોય તેમ શ્રીસંઘની સમ્યગ્દર્શનરૂપી પીઠ વજ્રરત્નમય તેમજ દૃઢ-રૂઢ-ગાઢ અને અવગાઢ હોય. જ્યાં સુધી એ પીઠમાં પોલાણ હોય ત્યાં સુધી શ્રીસંઘને મેરૂની ઉપમા ઘટે નહિ. શ્રીસંઘ પૂજ્ય છે, સેવ્ય