________________
૧૯૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
764
જો હજુ પણ મૌન રહ્યા તો...!
વીસ વર્ષ બેદરકારી રાખી તો આવું જોવા-સાંભળવાનો વખત આવ્યો. તો હજી દસકો આવો કાઢ્યો તો ભારે થઈ પડશે. હું કહી ગયો છું કે ચાર આની ૫૨મ શ્રદ્ધાળુ વર્ગ છે. બે આની શ્રદ્ધાહીન વર્ગ છે. અર્ધી આની કેવળ ધાંધલિયો વર્ગ છે. અને બાકીનો સાડી નવ આની વર્ગ એવો છે કે જે એમાં ઘૂમે તેની સાથે એ ભળે. ચાર આની વર્ગ જે છે એ તો હાલ મરવાની આશાએ જીવે છે. અર્ધી આની તો મરતાં મરતાંયે દોડધામ કરે છે. એ ચોમેર એવો ઘૂમે છે કે ન પૂછો વાત. આ સ્થિતિમાં ચાર આની વર્ગની ચુપકીદીથી પેલા દશ આની વર્ગને એમ થાય છે કે આટલું બધું કહે છે તો ‘કાંક’ તો હશે ને ? એ ‘કાક’ ભારે નુકસાન કરે છે. તમે જો થોડી પણ મહેનત કરી હોત તો એ દશ આની વર્ગ ધર્મ ત૨ફ વળ્યો હોત અને પેલા વર્ગને ધાણીની જેમ ફૂંક મારી ઉડાવી દીધો હોત.
એ દશ આની વર્ગ એવો ડહોળાયેલો છે કે-“એ આવીને કહે છે કે-સમજીએ છીએ, જાણીએ છીએ કે એ અધર્મી લોકો છે, અયોગ્ય છે પણ પાછું એમ થાય છે કે આટલું બધું કહે છે તો ‘કાંક’ તો હોય ને ? આ ‘કાંક’ મારી નાખે છે. આખા શરીરે ક્ષય થાય એ પહેલાં શરૂઆતમાં કાંઈક જ હોય છે. એ કાંઈક અસ૨ જણાય એટલે ડૉક્ટ૨ તરત સલાહ આપે કે ‘શહેર છોડો, ભોગવિલાસ બંધ કરો, વ્યસનો છોડી દો, સૂકી હવામાં જાઓ, માથેરાન, મહાબલેશ્વર પહોંચો નહીં તો દર્દ વધી જશે અને હેરાન-હેરાન થઈ જશો !' પેલો કહે કે ‘પણ હજી તો કાંઈક છે ને ?’ તો એ ચાલે ? પેલો પૂછે કે ઘ૨ની સ્ત્રી પાસે પણ ન જાઉં ? તો ડૉક્ટર કહેશે ‘ના.’ એકલા જ જાઓ. ! રસોયો લઈ જાઓ. ! જો ડૉક્ટરનું માને તો ઠીક નહિ તો એ ‘કાંક’માંથી રાંક થાય. પહેલામાંથી બીજા સ્ટેજમાં જાય. ફરી ડૉક્ટર ચેતવે અને તો પણ ન માને તો અંતે ત્રીજા સ્ટેજમાં જાય. પછી ઉપાય નહિ, દવા નહિ છતાં ડૉક્ટ૨ કહે કે હજી બચવું હોય તો બધું છોડ, જેમ ક૨વાનું કહ્યું છે તેમ ક૨, જવાનું કહ્યું છે ત્યાં જા, ભાગ્ય હશે તો ગ્રીશ. બાકી હવે ઉપાય નથી. આયુષ્ય પૂરું કરે અને જીવે ત્યાં સુધી ખોં ખોં કર્યા કરે.
અહીં પણ અમે તમને ચેતવાનું કહીએ છીએ. જો ઉપલા સ્ટેજમાં દર્દ ગયું તો અમારે પણ હાથ ખંખેરવા પડશે. નિદાનની થોડી ઘણી શક્તિ અમારામાં પણ છે; નથી એમ ન માનતા. લોક ભલે બૂમ મારે પણ બેકારી અમને હજી સાલતી નથી, જેટલાં એનાં કારણો સાલે છે.
કર્તવ્યનો વિવેક :
આજે જૈન સમાજમાં જે પ્રકારની વિકૃત વિચારસરણીઓનો પ્રચાર થઈ