SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ : પઢમં નાણું તઓ દયાનું તાત્પર્ય વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮ ૬ મહા સુદ-૫ સોમવાર, તા. ૩-૨-૧૯૩૦ ૭ પાંચમો દોષ મિથ્યામતિનો પરિચય : ♦ મિથ્યામતિના પરિચય વિના પણ જો આ દશા ! તો પરિચય પછી શું ? ♦ મોક્ષ એટલું શું ? ♦ મિથ્યાત્વના ઉદય વિના આવું ન બોલાય ♦ દીક્ષા કોણ લઈ શકે ? : ♦ જ્ઞાનીની નિશ્રાએ અજ્ઞાની પણ તરી જાય : ૭ જન્મથી જ બાળકમાં સંસ્કાર નાંખો : • આ છે, દીક્ષાનો વિરોધ કરનારની મનોદશા : .. 51 પાંચમો દોષ મિથ્યામતિનો પરિચય : સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણીજી શ્રીસંઘરૂપ મેરૂની વજ્રરત્નમયી સમ્યગ્દર્શનરૂપ પીઠમાં દૃઢતા લાવવા તે પીઠમાં દોષોરૂપ પોલાણ ન આવવાની ચેતવણી આપતાં, સમ્યક્ત્વના દોષોનું વર્ણન કરે છે. ચોથા દોષને અંગે આપણે જોઈ ગયા કે સમ્યગ્દષ્ટિએ પ્રમોદભાવના સાચવવી જોઈએ અને દોષથી પણ બચવું જોઈએ. ગુણવાનના ગુણ જોઈને જો આનંદ ન થાય તો સમ્યક્ત્વની ભાવનામાં મંદતા આવે અને અયોગ્યની પ્રશંસા થાય તો સમ્યક્ત્વમાં દૂષણ લાગે. એ બાબતમાં સમ્યગ્દષ્ટએ બરાબર સાવધ રહેવાનું છે. જેટલો ગુણાનુરાગ હોવો જોઈએ તેટલો વ્યક્તિને ઓળખવાનો વિવેક પણ હોવો જોઈએ. વિવેક વિનાનો ગુણાનુરાગ સમ્યક્ત્વને મલિન કરે અને ગુણાનુરાગનો અભાવ સમ્યકૃત્વનો નાંશ કરે. ગુણ પેદા કરવાની ભાવનાવાળો ગુણ ત૨ફ ઝૂકે જ, પરંતુ ગુણાનુરાગી અયોગ્યના ગુણ ગાય તો સમ્યક્ત્વને ગુમાવે. સમ્યગ્દષ્ટિ સાચાખોટા વચ્ચે કદી મધ્યસ્થ ન હોય. વસ્તુ જેવી હોય તેવી અને જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં જ માને, કહે અને એ રીતે વર્તે. તો જ સમ્યક્ત્વ સચવાય, નહિ તો દોષો પેસી જાય. એ દોષોથી સંઘરૂપ મેરૂની સમ્યક્ત્વરૂપ પીઠમાં પોલાણ થાય અને કુમતનાં વાસનારૂપી પાણી એમાં પેસવા માંડે. આપણે ચાર દોષો અંગે વિચારી ગયા. હવે પાંચમો દોષ છે ‘મિથ્યામતિનો
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy