SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 681 – ૮ : ધર્મમાં પ્રીતિ અને ભીતિ બેય જોઈએ - 48 – ૧૧૧ આજની દશા. કેટલીક વખત બજારમાં રહેવા માટે બજારના માણસોને પણ ખુશ રાખવો પડે છે એ આજની દશા છે. સાચા ગુણ મેળવવામાં જ મહેનત પડે છેઃ - સાચો જ સાચી સલાહ આપે અને ત્યાં કટુતા પણ આવે. કટુતા ત્યાં જ આવે. અયોગ્યને ગુણ વરેલા છે કેમ કે બનાવટી છે. સાચાને ગુણપ્રાપ્તિ માટે મહેનત કરવી પડે છે; ત્યારે જુઠાને ગુણપ્રાપ્તિ માટે મહેનત નથી કરવી પડતી. કારણ કે, સાચાને સાચા ગુણ જોઈએ છે, ત્યારે જુઠ્ઠાને બનાવટી જોઈએ છે. નબળાને ક્ષમા શીખવી ન પડે. જ્યારે બળવાનને ક્ષમાનો અભ્યાસ કરવો પડે છે. નબળાને કોઈ ગાળો દે તોયે એ ન બોલે અને બળવાનને અભ્યાસ કરવો પડે કે રખે ગુસ્સો ન થઈ જાય. કારણ કે, બળવાનની ક્ષમા સારી હોય છે ત્યારે નબળાની ક્ષમા ખોટી હોય છે. નબળાને પોતાથી નબળો મળે તો એ, એના ઉપર ધાર્યો જુલમ ગુજારે : જ્યારે વિવેકી સબળ તો, જરૂર પડ્યે પોતાથી બળવાન પ્રત્યે ગુસ્સો કરે. પણ પોતાથી નબળા પ્રત્યે તો કરે જ નહિ. આથી મહેનત છે સાચા ગુણ મેળવવામાં જ. સિંહની શૂરતા અને હાથીની સાવધાનીઃ સિંહનો ગર્જાવ, ત્રાડ તથા પૂછડું પછાડવું એ બધું હાથી સામે : બાકી શિયાળિયા તરફ તો એ જુએ પણ નહિ. જંગલી જાનવરોને જેટલી નિર્ભયતા સિંહ તરફની છે તેટલી નાના તરફની નથી. એમને (નાનાને) તો પરસ્પરનો બહુ ભય હોય છે. સામાન્ય બળવાનને પરસ્પરનો બહુ ભય હોય છે. બાકી મોટા બળવાનનો બહુ ભય નથી હોતો. સિંહની ત્રાડ એવી કે એનાથી બધા ભાગે એ વાત જુદી પણ ચોવીસે કલાકની નિર્ભયતા તો સિંહ તરફની જ હોય છે. સિંહ જ્યાં ત્યાં જાય જ નહિ, એ જેના તેના પર તરાપ મારે જ નહિ, જેને તેને નખના નખોરિયાં મારે જ નહિ. હાથીને પણ મગતરા માટે કાન હલાવ્યા કરવા પડે છે. પણ સિંહ માટે નહિ; એ ચોવીસે કલાક કાન હલાવે તે ક્ષુદ્ર મગતરા માટે. સિંહ તો ત્રાડ પાડી, પૂછડું પછાડી હાથીને ચેતવે પછી ત્રાપ મારે એટલે હાથીને સિંહ માટે ભયભીત રહેવું પડતું નથી. પણ મગતરા (મુદ્ર) માટે ચોવીસે કલાક એને કાન હલાવવા પડે છે. એ મગતરું જરાક ફાવે, એને તક મળે, તો હાથીનો જીવ લઈ જાય, આથી ભય મુદ્ર તરફથી છે. હાથી પ્રમાદ કરે તો એને માથું જ ફોડવું પડે ! સિંહવૃત્તિ જરૂર કેળવો પણ સાથે સાવધાનતા પણ હાથી જેવી હોવી જોઈએ. નાનાની ફાવટમાં તો આબરૂ જાય. સિંહથી હાથી મરે એમાં એને દુઃખ ન થાય. કેમ કે
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy