SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ 559 ' - - પરિશિષ્ટ-૨ પપ૯ કરવો પડશે કે, સાધુઓ એકલી હાજરી આપીને સંતોષ નહિ જ માની શકે. X x x દરેકેદરેક સાધુએ શહેરેશહેર, ગામેગામ, મહોલ્લે મહોલ્લે અખાડાની સ્થાપના કરાવવી પડશે અને એ અખાડા પ્રવૃત્તિ, એ મરદોની રમતો, એકલા પુરુષોમાં જ નહિ, પણ સ્ત્રીઓમાં પણ સર્વવ્યાપી અને સર્વસાધારણ કરવી પડશે અને એ પ્રવૃત્તિના પ્રચાર માટે આપણા સાધ્વી સમુદાયે સંપૂર્ણ સહકાર આપે જ છૂટકો. જે આર્થિક શક્તિ ધર્મની પ્રભાવના પાછળ ખર્ચીએ છીએ, તે શક્તિ આપણે આ મરણપ્રમાણ ઘટાડવા પાછળ ન ખર્ચીએ ?” બીજી એક વસ્તુએ ઘર ઘાલ્યું છે, અને આ વસ્તુ ધાર્મિક ઇન્દ્રજાળ.” તેઓ સમજી નથી શકતા કે જેનોએ રાષ્ટ્રીય જાહોજલાલીમાં જ જૈનધર્મની જાહોજલાલી માની છે.” તા. ૨૦-૧૦-૨૯“સાંજ વર્તમાન.” શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૧૫. 1. સોહાગી સંસાર - “આપણા આ પૃથ્વી પરના જીવનને “સંસાર” અને “ત્યાગમાં વહેંચી - નાંખવામાં આવ્યું છે અને તેમાં ત્યાગને મહત્ત્વ આપવામાં આવ્યું છે કે “સંસાર”ની મહત્તા લગભગ વિસારી દેવામાં આવી છે.” .', “જ્યારે પતિ-પત્નીના પ્રેમને પશુતાના ખેલ કહેવામાં આવે છે, ત્યારે જરૂર જાણવું જોઈએ કે કહેનારના મનમાં માનવતા અને પશુની વચ્ચે ભેદભાવ સમજવાની બુદ્ધિ નથી. પતિ-પત્ની વચ્ચે આદર્શનું વાતાવરણ ખડું થયું છે, તેની અવહેલના કરવી એ પાપ છે.” % “ગુજરાતના જૈન ઇતિહાસમાં, જૈન ગૃહસ્થોએ જે બલિદાન દીધાં છે, જૈન સંસ્કૃતિના ઉત્કર્ષ ખાતર જે સેવા સમર્પ છે, તે સાધુઓના બલિદાન કે સેવાથી જરા પણ ઊતરતી નથી.”
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy