________________
પરિશિષ્ટ-૨
૫૫૭
તા. ૭-૧૦-૨૯ ‘સાંજ વર્તમાન’, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૧૩ આયોગ્ય દીક્ષાનો ઉત્તરાર્ધ
“અયોગ્ય દીક્ષાના અખાડા, અખાડે અખાડે મલ્લ નીપજે, બસ દીક્ષા જ આપો પહેલી બીજી, થોડાક ધનવાનોને હાથ કરવા, સ્વર્ગસુખની લાલચ, મોક્ષની ચિઠ્ઠી, આ પણ સટ્ટો.”
557
*
x x x x “પોતે અમુક સંખ્યા સુધીમાં દીક્ષાને માટે ગુલામો પૂરા પાડવાની પ્રતિજ્ઞા કરે છે, અને એ પ્રતિજ્ઞા પાળી ઇન્દ્રાસન સાધ્ય કરવાની અભિલાષા રાખનાર, આ ધરમાત્માઓ દીક્ષાગુલામો ખરીદે છે.”
“તેમનાં જીવન ઘણે ભાગે શુષ્ક, ખારાં અને નિષ્ક્રિય બની ગયાં છે, તેમનો વૈરાગ્ય સ્મશાન-વૈરાગ્યમાંથી ઉદ્દભવ્યો હોય છે, અને સ્મશાનવૈરાગ્યમાંથી ઉદ્ભવેલા વૈરાગ્ય નીચે દુર્વાસાનો ક્રોધ ધખતો હોય છે.”
*
“જેમ આપણા જીવનમાં વડીલશાહીએ દાટ વાળ્યો છે, તેમ સાધુ-સંસ્થામાં પણ વડીલશાહીએ દાટ વાળ્યો છે. x x x પણ જો આનાથી વધુ કડક અને યોગ્ય શબ્દ હોત તો, તે પણ આપણે વાપરવા પડત.”
*
“આચાર્ય કે મોટી સત્તાવાળી પદવીઓ માટે જે ખટખટ થાય છે, રાજદ્વારી ભાષામાં જે નિર્લજ્જ કાવત્રાં થાય છે, જે ફાંફાં મરાય છે, તે તેમના જીવનમાં ૨હેલી વાસના ઉઘાડી પાડે છે. x x અને જો આ પદવીની વહેંચણીમાં, ત્યાગીઓની આ લૂંટમાં, કોઈને ધાર્યા કરતાં ઓછું આવ્યું તો પછી જીવનવિગ્રહનાં મંડાણ મંડાવાનાં.”
“તે જ પ્રમાણે કોઈ ન્યાયાંભોનિધિ બની જાય છે, તો કોઈ સર્વ શાસ્ત્રપારંગત બની જાય છે. x x x અત્યારે તો ચક્રવર્તી, સૂરિસમ્રાટો પદવીગ્રહના મહાકાર્યમાં ગુંથાયેલા છે.”
*
દરેકને યોગ્યતા પ્રમાણે ‘સુશ્રાવક’ ‘૫૨મ જૈન’ ‘જગડુશાહ’ ‘કુમારપાળ' ‘ઉદયન’ ચોથો આરો પ્રવર્તાવના૨, ઇત્યાદિ યોગ્ય મહેનતાણું આપવું જોઈએ નહિ તો હરામનો માલ પચતો નથી.