SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ ૫૫૭ તા. ૭-૧૦-૨૯ ‘સાંજ વર્તમાન’, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૧૩ આયોગ્ય દીક્ષાનો ઉત્તરાર્ધ “અયોગ્ય દીક્ષાના અખાડા, અખાડે અખાડે મલ્લ નીપજે, બસ દીક્ષા જ આપો પહેલી બીજી, થોડાક ધનવાનોને હાથ કરવા, સ્વર્ગસુખની લાલચ, મોક્ષની ચિઠ્ઠી, આ પણ સટ્ટો.” 557 * x x x x “પોતે અમુક સંખ્યા સુધીમાં દીક્ષાને માટે ગુલામો પૂરા પાડવાની પ્રતિજ્ઞા કરે છે, અને એ પ્રતિજ્ઞા પાળી ઇન્દ્રાસન સાધ્ય કરવાની અભિલાષા રાખનાર, આ ધરમાત્માઓ દીક્ષાગુલામો ખરીદે છે.” “તેમનાં જીવન ઘણે ભાગે શુષ્ક, ખારાં અને નિષ્ક્રિય બની ગયાં છે, તેમનો વૈરાગ્ય સ્મશાન-વૈરાગ્યમાંથી ઉદ્દભવ્યો હોય છે, અને સ્મશાનવૈરાગ્યમાંથી ઉદ્ભવેલા વૈરાગ્ય નીચે દુર્વાસાનો ક્રોધ ધખતો હોય છે.” * “જેમ આપણા જીવનમાં વડીલશાહીએ દાટ વાળ્યો છે, તેમ સાધુ-સંસ્થામાં પણ વડીલશાહીએ દાટ વાળ્યો છે. x x x પણ જો આનાથી વધુ કડક અને યોગ્ય શબ્દ હોત તો, તે પણ આપણે વાપરવા પડત.” * “આચાર્ય કે મોટી સત્તાવાળી પદવીઓ માટે જે ખટખટ થાય છે, રાજદ્વારી ભાષામાં જે નિર્લજ્જ કાવત્રાં થાય છે, જે ફાંફાં મરાય છે, તે તેમના જીવનમાં ૨હેલી વાસના ઉઘાડી પાડે છે. x x અને જો આ પદવીની વહેંચણીમાં, ત્યાગીઓની આ લૂંટમાં, કોઈને ધાર્યા કરતાં ઓછું આવ્યું તો પછી જીવનવિગ્રહનાં મંડાણ મંડાવાનાં.” “તે જ પ્રમાણે કોઈ ન્યાયાંભોનિધિ બની જાય છે, તો કોઈ સર્વ શાસ્ત્રપારંગત બની જાય છે. x x x અત્યારે તો ચક્રવર્તી, સૂરિસમ્રાટો પદવીગ્રહના મહાકાર્યમાં ગુંથાયેલા છે.” * દરેકને યોગ્યતા પ્રમાણે ‘સુશ્રાવક’ ‘૫૨મ જૈન’ ‘જગડુશાહ’ ‘કુમારપાળ' ‘ઉદયન’ ચોથો આરો પ્રવર્તાવના૨, ઇત્યાદિ યોગ્ય મહેનતાણું આપવું જોઈએ નહિ તો હરામનો માલ પચતો નથી.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy